લોકોનો દાવો છે કે અહીંથી ઘણા લોકોને મોટા હીરા મળ્યા છે. જોકે હજુ સુધી કોઈને હીરા મળ્યાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ભૂતકાળમાં પણ નદીમાંથી હીરા મળવાની વાત સામે આવતી રહી છે
મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં આવેલી રૂંઝ નદીના કિનારે હજારો લોકોએ પડાવ નાંખ્યો
રૂંઝ નદીના કિનારે 20,000થી વધુ લોકો હીરાની લાલસામાં કરી રહ્યા છે ખોદકામ
રૂંઝ નદીમાંથી 72 કેરેટનો હીરો મળવાની અફવા સાંભળીને લોકો નદી કિનારે પહોંચ્યા
આપણે ત્યાં એક કહેવત છે કે, લાલચ બુરી બલા હૈ. આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાં સામે આવી છે. મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં આવેલી રૂંઝ નદીના કિનારે હજારો લોકોએ હીરાની શોધમાં પડાવ નાખ્યો છે. પન્ના જિલ્લાની સાથે યુપીના છતરપુર, સતના, રીવા અને બાંદા જિલ્લામાંથી પણ લોકો આવી રહ્યા છે. જેમાં પુરૂષોની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. જેઓ રૂંઝ નદીના કિનારે હીરાની શોધમાં છે. ઘણા લોકો રૂંઝ નદીની મધ્યમાં હીરાની શોધમાં હોય છે.
મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં આવેલી આ નદીમાં લગભગ પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં લોકોનો જમાવડો જોવા મળે છે, અહીં હીરા મળે છે કે નહીં, તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ 20,000થી વધુ લોકો હીરાની લાલસામાં અહીં ખોદકામ કરી રહ્યા છે. પન્નાની રૂંઝ નદી પર સરકાર ડેમ બનાવી રહી છે. લોકોને જાણ થતાં હજારો લોકો ડેમમાંથી નીકળેલી માટીમાં પણ હીરા શોધવા પહોંચી ગયા હતા.
આ દિવસોમાં પન્નાના અજયગઢ હેઠળ વિશ્રામગંજ ખીણમાં રૂંઝ ડેમનું નિર્માણ ચાલી રહ્યું છે. અહીં મોટી માત્રામાં માટીનું ખોદકામ કરવામાં આવ્યું છે. જે બાદમાં હવે અહીં 20 હજારથી વધુ લોકો પોતાનું નસીબ અજમાવવા પહોંચી રહ્યા છે. લોકો માટીમાં હીરા શોધી રહ્યા છે. સવારથી સાંજ સુધી નદી કિનારે મેળો ભરાય છે.
એક મહિલાથી લોકોની ભીડ વધી
છેલ્લા મહિનાથી હજારો લોકો નદીની તળેટીમાં પડાવ નાખી રહ્યા છે. આ લોકો માટીમાંથી હીરા શોધવા માટે તેમની સાથે અન્ય સાધનો જેમ કે ચારણી વગેરે લઈ જાય છે. ડેમની માટી નદીના પાણીમાં ધોવામાં આવે છે. આ પ્રક્રિયા લગભગ એક મહિનાથી ચાલુ છે. લોકોની ભીડને જોતા અહીં દુકાનો ખુલી છે. ખાણીપીણી ઉપરાંત હર્બલની દુકાનો પણ છે. આ સિવાય જ્યોતિષી પણ બેસી ગયા છે, જે લોકોને હીરા મળશે કે નહીં તે વિચાર્યા બાદ કહે છે.
72 કેરેટનો હીરો મળવાની અફવા
મહત્વનું છે કે, રૂંઝ નદીમાંથી લગભગ 72 કેરેટનો હીરો મળવાની અફવા સાંભળીને લોકો નદી કિનારે પહોંચી રહ્યા છે. લોકોનો દાવો છે કે, અહીંથી ઘણા લોકોને મોટા હીરા મળ્યા છે. જોકે હજુ સુધી કોઈને હીરા મળ્યાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ભૂતકાળમાં પણ નદીમાંથી હીરા મળવાની વાત સામે આવતી રહી છે.
શું કહ્યું ખાણ ખનીજ અધિકારીએ ?
સમગ્ર મામલે ખાણ ખનીજ અધિકારીનું કહેવું છે કે, રૂંઝમાં હીરા નીકળે છે, પરંતુ અહીં જંગલની જમીન હોવાના કારણે જમીન માટે લીઝ આપી શકાતી નથી, જેના કારણે આવક ગુમાવવી પડી રહી છે. હાલમાં હીરાની ઓફિસમાં જમા થતા હીરાની વધતી જતી સંખ્યા જણાવી રહી છે કે રૂંઝ નદીમાંથી હીરા મળી રહ્યા છે, પરંતુ જંગલ વિસ્તાર હોવાના કારણે સત્તાવાર પુષ્ટિ થઈ રહી નથી. જોકે હજારો લોકો અહીં પોતાનું નસીબ અજમાવવા આવે છે.
આ તરફ ખાણ અને હીરાના અધિકારી રવિ પટેલે જણાવ્યું હતું કે, નદીમાંથી હીરા નીકળતા હોવાની હકીકત તેઓ ધ્યાને લઈ રહ્યા છે. જે બાદમાં લીઝ જારી કરવામાં આવે છે. ત્યાં પણ ભાડે આપવાનું વિચારી રહ્યા છીએ. આ બાબત હાલમાં જ ધ્યાન પર આવી છે.
ખનિજ સંસાધન અને શ્રમ મંત્રીએ શું કહ્યું ?
ખનિજ સંસાધન અને શ્રમ મંત્રી બ્રિજેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, નદીમાંથી હીરા નીકળવાની બાબત અમારા ધ્યાન પર આવી હતી. અમે અમારા પીએ સાથે વાત કરી છે. તત્કાલિન કલેક્ટર પન્નાએ પત્ર લખ્યો છે કે, જે જમીન ડેમમાં ડૂબમાં આવી રહી છે તે NMDC અથવા અન્ય કોઈ એજન્સીને આપવામાં આવે, જેથી અમારા હીરા આ વિસ્તારમાંથી બહાર આવી શકે. કારણ કે આ વિસ્તાર ડૂબમાં જવાનો છે.