સરકારના આંકડા પ્રમાણે કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો, પરંતુ કોરોનાકાળમાં જૂનાગઢના દામોદર કુંડમાં અસ્થિ વિસર્જન માટે આવતા લોકોની સંખ્યા વધી રહી છે
જૂનાગઢ અસ્થિ વિસર્જન માટે આવતા લોકોની સંખ્યા વધી
દરરોજ 700થી વધુ અસ્થિનું વિસર્જન
કોરોનાની વાસ્તવિક બતાવતા દ્રશ્યો
ગુજરાતભરમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થવા લાગ્યો છે. પરંતુ જૂનાગઢના દામોદર કુંડથી કોરોનાની ગંભીરતા દર્શાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોનાકાળમાં દામોદર કુંડમાં અસ્થિ વિસર્જન માટે આવતા લોકોની સંખ્યા વધી રહી છે. દામોદર કુંડમાં રોજ 700થી વધુ અસ્થિ વિસર્જનની ક્રિયા થઈ રહી છે. કોરોના મહામારી પહેલા રોજના 30થી 35 અસ્થિ વિસર્જન થતા હતા. વિધિ કરવા આવતા લોકો સામાજિક અંતર ન જાળવતા હોવાની પણ ફરિયાદો સામે આવી છે.
ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ
રાજ્યમાં કોરોના મહામારીને લઈ લગ્નમાં 50 લોકોની હાજરી નિશ્વિત કરવામાં આવી છે પરંતુ તેમાં પણ હવે ઘટાડો થઈ શકે છે. લગ્ન સમારંભમાં હવે 50 લોકો કરતા પણ ઓછી સંખ્યા રાખવાની રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. બલકે લગ્ન સમારંભો પર 15 દિવસ માટે પ્રતિબંધ મુકવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્તરીતે પાલન કરવા સરકાર વિચારણા કરે તેવો નિર્દેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે સરકાર લગ્ન સમારોહમાં આવનાર લોકોની સંખ્યા નિશ્ચિત કરવી જોઈએ.
લગ્નનોમાં સંખ્યા ઘટાડવા સરકાર તૈયાર
હાઈકોર્ટ વકીલ એસો.ના વકીલ શાલીન મહેતા સરકારને અપીલ છે કે, લગ્નમાં લોકો ભેગા થાય એવા કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે. કારણે કે કેસ ઘટ્યા છે પણ કેટલાક ધાર્મિક કાર્યક્રમોમાં અને લગ્નના કાર્યક્રમોમાં ભીડ થાય છે એ બંધ થવું જોઈએ. વધુમાં હાલ લગ્ન સમારોહમાં 50 લોકોની હાજરી નિશ્ચિત છે તે ઘટાડીને ઓછી કરવામાં આવે તેવી અપીલ સરકારને કરી છે. તે જોતા સરકારે પણ લગ્નનોમાં સંખ્યા ઘટાડવા અંગે તૈયારી દર્શાવી છે.
હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે લગ્ન આવતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવા બાબતે સરકાર વિચાર કરશે જે જોતા લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં લગ્નનોમાં પણ સંખ્યા ઘટી શકે છે જો કે આ નિર્ણય રાજ્ય સરકારના નવો આદેશ કરે ત્યારથી જ અમલી બનશે.