સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એરસ્ટ્રાઈક પછી ભારતમાં ઘૂષણખોરોની સંખ્યા ઘટી છે. મોદી સરકારે સદનમાં આતંકીઓની ઘૂષણખોરી મામલે સવાલ પૂછતા જવાબ આપ્યો હતો અને છેલ્લા 6 મહિનામાં ઘુષણખોરીની ઘટનામાં 43 ટકાનો ઘટાડો નોંધાયો છે.
એરસ્ટ્રાઈક કરીને 300 આતંકીઓને ઠાર માર્યા
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના આતંકીઓ ભારતીય સરહદ પર વારંવાર ઘૂષણખોરી કરતા હતા. ભારતમાં આતંકી પ્રવૃતિ વધારવાના હેતુથી પાકિસ્તાનની સેનાની મદદથી આ નાપાક આતંકીઓ ભારતમાં ધૂષણખોરી કરતા હતા. પરંતુ ભારતમાં થયેલા પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાન સ્થિત આતંકી કેમ્પ પર એરસ્ટ્રાઈક કરીને 300 આતંકીઓને ઠાર માર્યા હતા. તેના કારણે આતંકીઓનો ખાત્મો થયો હતો અને અન્ય આતંકીઓ હાલ અફઘાતિસ્તાન બોર્ડર પર છૂપાયેલા હોવાની માહિતી સામે આવી હતી.
સંસદના રિપોર્ટમાં થયો ખુલાસો
આપને જણાવી દઇએ કે, સંસદના રિપોર્ટ મુજબ 2018ની સરખામણીએ 2019ના શરૂઆતના મહિનાઓમાં આતંકીઓની ઘૂષણખોરીમાં 43 ટકાનો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ સંસદમાં વિપક્ષના સવાલનો જવાબ આપ્યો હતો અને જમ્મુ કશ્મીરમાં સેનાના જવાનોની કામગીરીના કારણે ઘૂષણખોરી નાથવામાં સફળતા મળી છે. આ આંકડા જૂન 2019 સુધીના છે જેમાં સ્પષ્ટ થાય છે કે સેનાની કામગીરીથી આતંકી પ્રવૃતિમાં ઘટાડો નોંધાયો છે.
જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલામાં 27 ટકાનો ઘટાડો
આ ઉપરાંત જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલામાં 27 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને સ્થાનિક યુવાનો જે આતંકી બનતા હતા તેમાં પણ 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. સરકાર અને સેનાની કામગીરીના કારણે કશ્મીરના સ્થાનિક યુવાનોનો આતંકનો માર્ગ છોડી રહ્યા છે જે ખરેખર સેના અને સરકારની પ્રશંસનિય કામગીરી છે.
અમિત શાહે આ પહેલા આતંકીઓનો ખાત્મો કરવાની વાત કરી હતી અને તેમણે કહ્યું હતુ કે તેમનો ઈરાદો પાકિસ્તાનના કોઈ સામાન્ય નાગરિકને મારવાનો નથી પરંતુ આતંકીઓની છાવણીઓ અને તેમના આકાઓને મોતને ઘાટ ઉતારવાનો છે. હાલ જે કામગરી ચાલી રહી છે. તેનાથી આગામી સમયમાં મહત્વની સફળતા મળશે તેવો આશાવાદ સરકાર સેવી રહી છે.