સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખુબ જ ઓછો વરસાદ પડતા અનેક તાલુકાના ખેડૂતોને ભારે નુકશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ પાકવીમાનું પૂરું વળતર ચુકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. પાકવિમાની પુરી રકમ ચુકવવાની જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી હતી.
સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલુ વર્ષે ખુબ જ ઓછો વરસાદ પડતા અનેક તાલુકાના ખેડૂતોને ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ પાક ધિરાણ લીધું હતું. જેનું નિયમિત પ્રિમિયમ કાપી લેવા છતાં સરકાર દ્વારા નુકશાની સામે માત્ર ૬% જેટલું વળતર વીમા કંપની દ્વારા ચુકવવામાં આવ્યું છે. ઉપરથી પાકવીમાનું પૂરું વળતર પણ ચુકવવામાં આવ્યું નથી.
જિલ્લાભરના ખેડૂતોનું બિયારણ સંપૂર્ણ નિષ્ફ્ળ ગયું હતું. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પાકવિમાની પુરી રકમ ચુકવવાની જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે.
મહત્વનું છે કે, સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પાક ધિરાણ લીધું હતું જેનું નિયમિત પ્રીમિયમ કાપી લેવા છતાં નુકશાની સામે માત્ર છ ટકા જેટલું વળતર વીમા કંપની દ્વારા ચુકવવામાં આવ્યું છે. જેને લઈને જિલ્લાના ખેડૂતોમાં આક્રોશ છે અને જો ચૂંટણી પહેલા પાકવીમો ના ચુકવાય તો ચૂંટણના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.