પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ પોતાના મિત્ર અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની શપથવિધિ માટે પાકિસ્તાન ગયા હતા. ત્યા સિદ્ધુએ અન્ય લોકોની સાથે પાકિસ્તાન આર્મી ચીફ કર્નલ બાજ્વાને ગળે મળતા વિવાદ સર્જાયો હતો.
આ મામલે નવજોતસિંહ સિદ્ધુની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સિદ્ધુ વિરુદ્ધ બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
બિહારના વરીષ્ઠ વકીલ સુધિર ઓઝા દ્વારા સિદ્ધુ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે 24 તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના 22મા પ્રધાનમંત્રી તરીકે ઇમરાન ખાને શપથ લઇ લીધા છે પરંતુ મિત્રના શપથ સમારોહમાં પહોંચેલા નવજોત સિંહ સિદ્ધુએ વિવાદ ઉભો કર્યો છે.
શબ્દ પર સખત પકડ ધરાવતા નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનમાં પોતાના પર જ કાબૂ ન રાખી શખ્યા. પાકિસ્તાનની જમીન હતી પાકિસ્તાનના નવ નિયુક્ત પ્રધાનમંત્રીનો શપથ સમારોહ હતો પરંતુ નવજોત સિંહ સિદ્ધુનો પાડોશી પ્રેમ એટલી હદે ઉછાળી પડ્યો કે પાકિસ્તાનના આર્મી ચીફને જ ગળે મળી લીધું હતુ.
જે મામલે નવજોત સિંહ સિદ્ધુ વિરુદ્ધ બિહારના વરીષ્ઠ વકીલ સુધિર ઓઝાએ બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે. જેની 24 સુનાવણી તારીખે હાથ ધરવામાં આવશે