રાજ્યમાં પાકને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે સરકાર હરકતમાં આવી છે. પાક વીમાને મરજીયાત બનાવવા માટે સરકાર દ્વારા કેન્દ્રમાં કવાયત કરવામાં આવી છે.
મહત્વનુ છે કે, ખેડૂતોએ પાક વીમો મરજીયાત બનાવવા માટે માગ કરી હતી. આ મામલે સરકાર હરકતમાં આવી છે અને પાક ધિરાણમાં પાક વીમો મરજીયાત બનાવવા પર વિચારણા કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા દૈનિક ધોરણે કવાયત શરૂ કરવામાં આવી છે.
ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજના હેઠળ ધીરણ અપાય છે અને વર્ષ 2016થી કૃષિ ધીરણમાં પાક વીમો ફરજિયાત કરવામાં આવ્યો છે. ધીરણની સાથે સીધુ જ વીમાનું પ્રિમિયમ કપાઈ જાય છે. જેનો છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જો હવે પાક વીમો મરજીયાત કરવામાં આવે તો ગુજરાતમાં 14 લાખથી વધુ ખેડૂતોને રાહત મળશે.