કહેવાય છે કે જીવનમાં દરેક દીવસો સમાન નથી હોતા..ક્યારે શું થઈ જાય તેની ન તો આપને ખબર છે કે ન તો મને ખબર છે કે ન તો કોઈને પણ તેનો ખ્યાલ છે..અને એટલે જ પોતાના પરિવારની ચિંતા તો સૌ કોઈ સતાવતી જ હોય છે...અને પોતાના પરિવારની સુરક્ષા માટે સૌ કોઈ વ્યક્તિ કે ઘરનો મોભી વીમો તો અવશ્ય લેતો જ હોય છે..તેમાંથી ન તો દેશનો મધ્યમ વર્ગ બાકાત છે..ન તો અમીર વર્ગ બાકાત છે..જો કે મધ્યમ અને અમીર વર્ગના લોકોને તો વીમા કંપનીઓનો લાભ મળી રહે છે..પરંતુ ખેડૂતવર્ગ એક એવો વર્ગ છે જેને ન તો વીમા કંપનીઓ નુકસાન ભરપાઈ કરે છે..ન તો પ્રિમિયમના આધારે નુકસાનની ચૂકવણી કરે છે. ખેડૂત વર્ગ પાસેથી આવી કંપનીઓને માત્ર પ્રિમિયમ જ ઉસેટતા આવડે છે...એવું નથી કે કંપનીઓ માત્ર ખેડૂતોએ ચૂકવેલા ચૂકવેલા નાણાં જ ચાઉ કરી જાય છે..વીમા કંપનીઓ સરકારે ચુકવેલા નાણા પણ ચાઉ કરે છે..અને વાત જ્યારે પાકના નુકસાનીના વળતરની આવે ત્યારે આ તમામ કંપનીઓના હાથ બંધાઈ જાય છે..એટલે સ્થિતિ એવી થાય છે કે જે ખેડૂતો બિચારો પાઈ પાઈ એકઠી કરીને પ્રિમિયમ ભરે તેને જ્યારે નુકસાન થાય ત્યારે આ એકેય કંપનીઓ તેની પડઘે ઉભી નથી રહેતી...ત્યારે અહીં સવાલ એ છે કે શું સરકારને વીમાકંપનીઓને માલામાલ કરવામાંજ રસ છે? કંપનીઓ પર સરકારનો કોઈ અંકુશ કેમ નથી? ખેડૂત ક્યાં સુધી આખરે લૂંટાતો રહેશે? આ જ તમામ બાબતો પર છે આજનો મહામંથન...