મહીસાગરના પાલ્લામાં આવેલા ખોડિયાર મંદિરમાંથી મગરનું વનવિભાગે રેસ્ક્યુ કર્યુ છે. ગ્રામજનો સાથે ચર્ચા કર્યા બાદ મગરને મંદિરમાંથી બહાર લવાયો છે. મંદિરના ગર્ભ ગૃહમાંથી રેસ્ક્યુ કરીને મગરને ગામના તળાવમાં છોડવામાં આવ્યો છે. આ મગર નજીકના તળાવમાંથી આવ્યો હોવાનું વન વિભાગે પુષ્ટિ કરી છે. મહત્વનુ છે કે, 2 દિવસ પહેલા આ મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ ગ્રામજનો દ્વારા મંદિરમાં રાતે પહેરો કરવામાં આવી રહ્યો હતો. ત્યારે એકાએક મંદિરમાં મગર આવ્યો. ગ્રામજનોએ મંદિરમાં મગરને ફૂલ અને કંકુ વડે પૂજા કરી હતી. આ મગર માતાજીનો હોવાનો ગામમાં ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે વનવિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.