બિહાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે આ ધાંધલ ધમાલની વચ્ચે હાથરસની દલિત યુવતી સાથે દુષ્કર્મના કેસમાં ભાજપના સાથી JDU એ જ યોગી સરકાર સામે મોરચો ખોલી નાખ્યો છે.
ભાજપના સાથી પક્ષ JDU એ કરી યોગ સરકાર ની ટીકા
JDU એ કહ્યું," પ્રધાનમંત્રીએ કહેવું પડે તો ડૂબી મરવા જેવી બાબત"
ગંભીર હાલત હોવા છતાં પીડિતાને AIIMS ન લઈ જવાઈ : JDU
JDU પાર્ટીએ આ મામલે પીએમ મોદી ની દખલને યોગી સરકાર માટે શરમજનક ગણાવી હતી. પાર્ટીએ CM યોગી આદિત્યનાથ ની સરકારને પૂછ્યું હતું કે શું દેશમાં દલિતો અને વંચિત લોકો પર દુષ્કર્મ મામલે વડાપ્રધાને પોતે ન્યાય માટે હસ્તક્ષેપ કરવી પડશે?
દલિતો ને બચાવવું એ કોઈ પણ સરકારની પ્રથમ જવાબદારી: JDU
JDU ના જનરલ સેક્રેટરી કે સી ત્યાગી એ કહ્યું કે, દલિતો ને બચાવવું એ કોઈપણ સરકાર ની પહેલી જવાબદારી છે. હાથરસ માં જે બન્યું તે ઉત્તર પ્રદેશ સરકાર માટે શરમજનક છે. જો દલિત યુવતી ને ન્યાય અપાવવા માટે પીએમ મોદી એ દખલ કરવી પડે તો રાજ્ય સરકાર માટે આનાથી મોટી શરમની વાત બીજી શું હોય શકે? યુપી સરકાર માટે ડૂબી મારવા જેવી વાત છે. શું આ દેશમાં દલિતો અને વંચિત લોકો માટે ન્યાય દિલ્હી ની દખલ વિના શક્ય નથી?
પીડિતા ના અંતિમ સંસ્કાર સમયે પોલીસ વાળ હસી રહ્યા હતા : કેસી ત્યાગી
JDU એ કહ્યું, હાથરસ ની ઘટનાએ નિર્ભયાકાંડ ને પણ શર્મસાર કરી નાખી. ગંભીર હાલત હોવા છતાં પીડિતા ને AIIMS માં દાખલ કરવામાં આવી ન હતી. પીડિતાના મોત બાદ પરિવારના સભ્યો તેને છેલ્લે જોઈ શક્યા નહીં. અંતિમ સંસ્કાર સમયની પરંપરાને પણ પાળવા નથી દીધી. પરિવારના સભ્યોને મુખાગ્નિ પણ ન આપવા દેવાઈ. પીડિતા ના અંતિમ સંસ્કાર સમયે પોલીસ વાળા હસી રહ્યા હતા.
સરકારી તંત્રના દરેક વ્યક્તિને સસ્પેન્ડ કરવા જોઈએ: JDU
JDU ના કેસી ત્યાગીએ કહ્યું કે, દુષ્કર્મ નથી થયો અને પીડિતા ને પ્રતાડિત નથી કરવામાં આવી તેવા દાવા કરવામાં આવ્યા હતા. આ શું હિન્દુ સંસ્કૃતિ છે કે રાત્રે અને તેમની ગેરહાજરીમાં પરિવારની ઇચ્છા વિરુદ્ધ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. નિર્ભયા કેસમાં પણ પોલીસ-પ્રશાસને આવી ક્રુરતા આચરી નહોતી. હાથરસ પોલીસ અને વહીવટી તંત્ર માંથી દરેક વ્યક્તિને સસ્પેન્ડ કરવા જોઈએ.
ત્યાગીએ કહ્યું કે, નિર્ભયા ઘટના પછી, આંદોલન દ્વારા પરિસ્થિતિમાં સુધારો થવાની આશા ઉભી થઈ, પરંતુ તે માત્ર એક છલામણું દ્રશ્ય હતો. આ બધી ભલામણો હવે ઠંડા બસ્તામાં જતી રહી છે.
JDU કેમ ભાજપ ને સંભળાવી રહ્યું છે?
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષ હાથરસ ની ઘટનાને મોટો મુદ્દો બનાવવાની તૈયારીમાં છે. JDU RJD ના નિશાના પર છે. બુધવારે RJD નેતા તેજસ્વી યાદવે ભાજપ સાથે મળી JDU પર નિશાન સાધ્યું હતું. બિહારમાં આશરે 16 ટકા મતદારો દલિત છે. આવી સ્થિતિમાં JDU નુકસાનથી ડરશે.