મહારાષ્ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્યો મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાત આવી ગયા છે. તેની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે
મહારાષ્ટ્ર સરકારમાં ભૂકંપનો મામલો
શિવસેનાના નેતા સંજય રાઉતનું નિવેદન
ધારાસભ્યો પરત આવવા માંગે છે
શિવસેનાના નેતા સંજય રાઉતે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કોઈ રાજકીય ભૂકંપ નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં એકા એક રાજકીય ભૂકંપ આવી છે. શિવસેનાના સીનિયર નેતા અને મત્રી એકનાથ શિંદે ઘણા ધારાસભ્યોને લઈને ગુજરાત આવી ગયા છે.
મહારાષ્ટ્રની મહાઅઘાડી સરકારમાં ભંગાણના એંઘાણ થયાં છે.
શિવસેના નેતા એકનાથ શિંદે અમૂક ધારાસભ્યો સાથે સુરતની હોટેલમાં આવ્યા છે. આ તમામ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારમાં કોઈ ભૂકંપ આવશે નહીં. કેટલાક ધારાસભ્યો સુરતમાં છે. જેનો અમે સંપર્ક કર્યો હતો. આ ધારાસભ્યો પરત આવવા માગે છે, પરંતુ તેમની ઘેરાબંધી કરવામાં આવી છે. સુરત ગયેલા તમામ ધારાસભ્યો નિષ્ઠાવાન છે.
એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ બધું બરાબર થઇ જશે- સંજય રાઉત
શિવસેનાના ખરાબ સમયમાં પણ આ ધારાસભ્યો શિવસેના સાથે રહ્યા હતા. જેથી તમામ ધારાસભ્યો પરત આવશે. વધુમાં તેમણે કહ્યું કે, એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ મને વિશ્વાસ છે કે, બધું બરાબર થઇ જશે. કારણ કે, મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી અલગ છે. શિંદે અમારાથી નારાજ નથી, તે અમારા ભાઈ છે. જેથી જે ખૂદને કિંગ મેકર સમજે છે, તે સફળ થશે નહીં.