પાકિસ્તાનમાં ટામેટાં બાદ નવું સંકટ ઉભુ થયું છે. ટામેટા બાદ હવે ઘઉંના લોટની અછત સર્જાઈ છે. જેનો હાલ તો કોઈ ઉકેલ દેખાતો નથી. લોટ ન મળવાના કારણે પાકિસ્કતાની લોકોને વધુ મુશ્કેલી સર્જાવાની શક્યતા છે.
ટામેટાં બાદ ઘઉંના લોટની અછત
પાકિસ્તાની લોકો વધુ મુશ્કેલીમાં
હોટલ, રેસ્ટોરાં સંચાલકો રસ્તા પર
તો આ તમામ વાતો વચ્ચે ખૈબર પખ્તૂનખ્વામાં રેસ્ટોરાં માલિક અને ઢાબા સંચાલકોએ ઈમરાન ખાન સામે બાંયો ચઢાવી છે અને 5 દિવસમાં ઘઉંના લોટની કિંમત ઘટાડવાનું અલ્ટીમેટમ આપ્યું છે. ઘઉંના લોટની કિંમત નહીં ઘટે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
હોટલ એસોસિએશન આંદોલનની ઉચ્ચારી ચીમકી
હોટલ એસોસિએશનનું કહેવું છે કે સરકાર ઘઉંના લોટની પહેલાં જેટલી જ કિંતમ કરે અથવા રોટલીની કિંમત વધારવા મંજૂરી આપે. બીજી તરફ પાકિસ્તાની સરકારને આશા છે કે માર્ચ-એપ્રીલમાં ઘઉંના નવા પાકથી સમસ્યાનો ઉકેલ આવી જશે અને લોટની કિંમત પણ પહેલાં જેટલી થઈ જશે.
ઇમરાન સરકાર જવાબદાર
જો કે, સિંધ પ્રાંતે આ સંકટ માટે ઇમરાન સરકારને જવાબદાર ગણાવી છે અને કહ્યું છે કે તેના કારણે લોટના ભાવ વધ્યા છે. દરમિયાન, પાકિસ્તાનના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સચિવ હાશીમ પોપલઝાઇએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ટ્રાન્સપોર્ટરોની હડતાલને કારણે ભાવમાં વધારો થયો હતો.