શહેરના રાણીપ વિસ્તારમાં એક બ્રોકરે બિટકોઇન મામલે ડીવાયએસપીના ત્રાસથી ઘરમાં ગળાફાંસો ખાઈ કરેલી આત્મહત્યાના ચકચારી કેસમાં પોલીસ ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમની મદદ લેશે. બિટકોઈનમાં રોકાણ કરનાર ડીવાયએસપી ચિરાગ પટેલ (સવાણી)ને થયેલા નુકસાનના દબાણથી આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં બ્રોકરે કરતાં મામલો વધુ ગરમાયો છે.
બ્રોકરે લખેલી સ્યુસાઇડ નોટ એફએસએલમાં હેન્ડરાઇિન્ટંગ એક્સ્પર્ટને મોકલી આપી છે ત્યારે બિટકોઇનમાં કેટલા વ્યવહાર થયા છે તે મામલે ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમની મદદ પોલીસ લેશે. શહેરના રાણીપ વિસ્તારમાં બિટકોઈન બ્રોકર ભરતભાઈ પટેલે ડીવાયએસપી ચિરાગ પટેલ (સવાણી)ના ત્રાસથી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
મૃતક ભરત પટેલ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે, જેમાં ૧૧,૫૭૫ બિટકોઈનના હિસાબના મામલે ડીવાયએસપી ચિરાગ પટેલ (સવાણી) ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેનાથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. પરિવારે ડીવાયએસપી સહિતના જવાબદારો સામે કાર્યવાહીની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો, જોકે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાતરી અપાતાં પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો.
ડીવાયએસપી ચિરાગ સવાણી કેવિડયા એસઆરપી ગ્રૂપ-૧૮માં ફરજ બજાવે છે. આ મામલે ઝોન-રના ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું છે કે ભરત પટેલે લખેલી સ્યુસાઇડ નોટને એફએસએલમાં મોકલવામાં આવશે અને તેના રિપોર્ટ બાદ દોિષતો સામે ગુનો દાખલ કરવામાં આવશે. આ સિવાય બિટકોઇન મામલે પણ અલગથી તપાસ કરવામાં આવશે અને ગુનો પણ દાખલ કરવામાં આવશે. ભરત પટેલે બિટકોઇનમાં શું વેપાર કર્યો છે તે મામલે ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમની મદદ લેવામાં આવશે.