ક્રાઈમ બ્રાન્ચે તબલીગી જમાતની વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદમાં બદ ઈરાદા સાથે હત્યા કર્યાના ગુનાની આઈપીસી કલમ 304 ઉમેરવામાં આવી છે. તેમજ તેમાં ભાગ લેવા આવેલા 1890 વિદેશી નાગરિકો સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
જમાતીઓ સામે કમર કસી, ઉમેરાઈ હત્યાની કલમ
વિદેશીઓ સામે લુક આઉટ નોટિસ
પોલીસ મોબાઈલ નંબરના આધારે કરી રહી છે તપાસ
ક્રાઈમ બ્રાન્ચમાં તબલીગી જમાત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIRમાં બદ ઈરાદે હત્યાની કલમ ઉમેરવામાં આવી છે. આઈપીસી 304 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે જમાતમાં ભાગ લેનારા વિદેશીઓ પર કમર કસી છે. આ તમામ સામે કડક કાર્યવાહી કરવા માટે તેમાં ભાગ લેનારા 1890 વિદેશીઓ સામે લુટ આઉટ નોટિસ જાહેર કરી છે. મરકદ સાથે જોડાયેલા 18 લોકોને નોટિસ ઈશ્યુ કરી ક્રાઈમ બ્રાન્ચે ઈન્વેસ્ટીગેશન માટે હાજર થવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહ 7 એપ્રિલે દિલ્હી સરકારે તબલીગી જમાત સાથે જોડાયેલા 1950 લોકોના નંબર દિલ્હી પોલીસને આપ્યા હતા. આ તમામને 25 માર્ચના લોકડાઉન બાદ નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના કાર્યાલયમાંથી કાઢવામાં આવ્યા હતા. દિલ્હી સરકારે પોલીસને કહ્યું કે આમના મોબાઈલ નંબરના આધારે જાણીશું કે 25 માર્ચ પહેલા તેઓ કયા કયા વિસ્તારોમાં ફરી રહ્યા હતા. તેમજ કોને કોને મળ્યા છે. તેની માહિતી દિલ્હી સરકારને આપવામાં આવશે.
નોંધનીય છે કે નિઝામુદ્દીન મરકજ કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉન છતા નિઝામુદ્દીન મરકજ સ્થિત મુખ્યાલયમાં તબલીગી જમાતના 23 00 થી વધારે સભ્યોના રહેવાની વાત સામે આવ્યા બાદ દેશભરમાં તેમની ઓળખ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીન મરકજમાં ગત મહિને ધાર્મિક આયોજન કરવામા આવ્યું હતું જેમાં દેશ -વિદેશથી ઓછામાં ઓછા 9 હજાર લોકોએ ભાગ લીધો હતો.