ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર એન્ડ્ર્યુ સાઈમંડ્સનું કાર દુર્ઘટનામાં નિધન બાદ ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું છે. દિગ્ગજ ક્રિકેટરોએ આ ખેલાડીને શ્રદ્ધાંજલી આપી શોક વ્યક્ત કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર એન્ડ્ર્યુ સાઈમંડ્સનું કાર દુર્ઘટનામાં નિધન થઇ ગયું છે. 46 વર્ષનાં સાઈમંડ્સની કાર શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં અકસ્માતનો શિકાર બની હતી. આ દુર્ઘટનામાં સાઈમંડ્સને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને બચાવવાનાં બધા જ પ્રયાસો નિષ્ફળ રહ્યા. સાઈમંડ્સ પોતાની સમગ્ર કરિયર દરમિયાન વિવાદોમાં રહ્યા હતા. તેઓ શાનદાર બોલર અને બેટ્સમેન હોવાની સાથે સાથે શાનદાર ફિલ્ડર પણ હતા. આ જ કારણે દિગ્ગજોથી ભરેલી ઓસ્ટ્રેલિયાની ટીમમાં તેમને જગ્યા મળી હતી, પરંતુ સમય પહેલા જ તેમની કરિયર પૂરી થઇ ગઈ. તેમાં તેમની સાથે જોડાયેલા વિવાદોનો પણ મોટો હાથ હતો. અહી અમે તમને તેમની કરિયરનાં પાંચ મોટા વિવાદો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.
ક્રિકેટ જગતની હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલી
ગિલક્રિસ્ટ
Think of your most loyal, fun, loving friend who would do anything for you. That’s Roy. 💔😞
હું શોક થઈ ગયો છું. તેના પરિવારજનો અને મિત્રોને મારી સંવેદના. તેના આત્મા મત પ્રાર્થના.
Shocked to hear about the sudden demise of Andrew Symonds. Gone too soon. Heartfelt condolences to the family and friends. Prayers for the departed soul 🙏#RIPSymonds
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 15, 2022
શોએબ અખ્તર
અમારો ગ્રાઉન્ડ પર અને ગ્રાન્ડની બહાર ઘણો સારો સંબંધ હતો. મારુ દિલ તૂટી ગયું છે.
Devastated to hear about Andrew Symonds passing away in a car crash in Australia. We shared a great relationship on & off the field. Thoughts & prayers with the family. #AndrewSymondspic.twitter.com/QMZMCwLdZs
હરભજન સાથે મંકીગેટ વિવાદ
વર્ષ 2008માં હરભજન સિંહ સાથે એન્ડ્ર્યુ સાઈમંડ્સનો મંકીગેટ વિવાદ ઘણો ચર્ચામાં રહ્યો હતો. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે હતી અને ટેસ્ટ મેચમાં હરભજન સિંહ બેટિંગ કરી રહ્યા હતા. બંને વચ્ચે દલીલો શરુ થઇ ગઈ. આ સમયે એન્ડ્ર્યુ સાઈમંડ્સે હરભજન સિંહ સામે ઓફિશિયલ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે કહ્યું કે ભજ્જીએ તેમને વાંદરો કહ્યું હતું. સુનાવણીમાં મેચ રેફરીએ હરભજન સિંહને દોશી ઠેરવ્યા હતા અને તેમના પર ત્રણ ટેસ્ટ મેચનો બેન લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અદાલતમાં આ મામલાની સુનાવણી થઇ હતી. સચિન પણ ત્યાં હરભજન સાથે પહોંચ્યા હતા. આ સુનાવણીમાં હરભજન પર લાગેલા ગંભીર આરોપો હટાવવામાં આવ્યા હતા, તેમ્મ્ના પર લાગેલા પ્રતિબંધો પણ હટાવાયા હતા અને આખરે તેમને માત્ર મેચ ફીનાં 50 ટકા આપવા પડ્યા હતા.
પબમાં કરી હતી મારપીટ
વર્ષ 2008માં એન્ડ્ર્યુ સાઈમંડ્સ પર એક પબમાં મારપીટ કરવાનો પણ આરોપ લાગ્યો હતો. એક ફેન તેમને ભેટીને ફોટો પડાવવા માંગતો હતો. જેથી તેઓ નારાજ થઇ ગયા અને તેમણે તે વ્યક્તિ સાથે મારપીટ કરી હતી, આ મામલાનાં પુરાવા ન હોવાને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમની સામે કોઈ કાર્વાહી કરી ન હતી.
ટીમ મિટિંગ દરમિયાન માછલી પકડી રહ્યા હતા
વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયાની ટીમ બાંગ્લાદેશ પ્રવાસે હતી. અહી ટીમની એક મુખ્ય મિટિંગ ચાલી રહી હતી, જેમાં સીરીઝ સાથે જોડાયેલ તૈયારીઓ પર ચર્ચા થઇ રહી હતી. આ દરમિયાન એન્ડ્ર્યુ સાઈમંડ્ક્યાંક માછલી પકડવામાં વ્યસ્ત હતા. તે સમયે ટીમનાં કેપ્ટન માઈકલ કલાર્કે સાર્વજનિક રૂપે કહ્યું હતું કે તેમણે વિચારવું પડશે કે તેઓ ઓસ્ટ્રેલિયા માટે રમવા માંગે છે કે નહીં. આ જ કારણે તેમને 2008માં ભારત પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા ન હતા.
2009માં આપ્યું હતું વિવાદિત ઇન્ટરવ્યૂ
વર્ષ 2009માં એન્ડ્ર્યુ સાઈમંડ્સનું એક ટીવી ઇન્ટરવ્યૂ ઘણું વિવાદોમાં રહ્યું હતું. આ ઇન્ટરવ્યૂમાં તેમણે ઘણી આપત્તિજનક વાતો કહી હતી. તેમણે ન્યૂઝીલેંડનાં દિગ્ગજ ખેલાડી બ્રેન્ડન મેક્કુલમ સામે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પોતાના સાથી ખેલાડી મેથ્યૂ હેડનને લઈને પણ તેમણે કહ્યું હતું કે તેઓ હેડનનાં ઘરે માત્ર એટલા માટે જતા હતા કેમકે તેમની પત્નીને જોઈ શકે. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે તેઓ નશામાં હતા. ત્યાર બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમના પર દંડ ફટકાર્યો અને માનસિક ચિકિત્સક પાસે ઈલાજ કરાવવાની વાત કહી હતી.
દારુની લતે કરિયર ખતમ કરી દીધી
વર્ષ 2009 માં ટી20 વિશ્વ કપમાં રમ્યા બાદ એન્ડ્ર્યુ સાઈમંડ્સ ઓસ્ટ્રેલિયા ટીમ સાથે ઇંગ્લેન્ડમાં ગયા હતા. અહી, તેમણે દારુ પીને એક ક્લબમાં કલાકો સુધી સમય વિતાવ્યો હતો. ત્યાર બાદ તેઓ ચેરીટી ડીનર સમારોહમાં નશાની સ્થિતિમાં પહોંચી ગયા હતા. આ સમારોહમાં એન્ડ્ર્યુ સાઈમંડ્સે આપત્તિજનક વ્યવહાર કર્યો હતો અને ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન રિકી પોન્ટિંગ આનાથી અત્યંત નારાજ થયા હતા. તેમણે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ સાથે વાત કરીને તેમને પરત ઓસ્ટ્રેલિયા મોકલાવી દીધા હતા. ત્યાર બાદ તેમને ક્યારેય ઓસ્ટ્રેલિયાની ટીમમાં જગ્યા આપવામાં આવી ન હતી.