સનરાઇઝર્સ હૈદરાબાદે 2021 આઈપીએલ માટે રિટેન કર્યો છે
2019 ટી-20 વર્લ્ડકપમાં સિલેક્શન મેળવવા બદલ આલોચના થઈ હતી
આઈપીએલ માટે દુબઈ જતા પહેલા સગાઈ કરી હતી
વિજય શંકરે વૈશાલી વિશ્વેશ્વરન સાથે આઈપીએલ 2020 માટે દુબઈ જતા પહેલા સગાઈ કરી હતી. તે સમયે વિજયે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર પણ શેર કરી હતી. ત્યારબાદ હવે આઈપીએલ 2021ની શરુઆત થતા પહેલા વિજય તેની મંગેતર વૈશાલી સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પાઠવ્યા અભિનંદન
વિજય શંકરનાં લગ્ન પર તેની આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે તેને અભિનંદન પાઠવ્યા છે. સનરાઇઝર્સે લખ્યું છે કે, અમે વિજય શંકરને તેનાં જીવનનાં ખૂબ જ ખાસ દિવસ પર તેને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અમે તમારું લગ્નજીવનની કામના કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2021 માટે શંકરને ટીમમાં રિટેન કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામે 2019માં વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું
30 વર્ષનાં વિજય શંકરે માર્ચ 2018માં શ્રીલંકામાં કોલંબોમાં ટી-20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે જાન્યુઆરી 2019માં મેલબર્નમાં ઓસ્ટ્રેલિયાની સામે તેણે વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યાનાં 3 વર્ષ બાદ વિજય તેનું સિંગલ સ્ટેટસ છોડીને હવે લગ્નજીવનમાં પોતાની નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છે. 2019ની ટી-20 વર્લ્ડ કપની ટીમનો હિસ્સો હતો
તામિલનાડુના વિજય શંકર ઇંગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડકપ 2019માં ટીમ ઈન્ડિયનો ભાગ હતો. વર્લ્ડ કપ ટીમમાં તેનાં સિલેક્શન અંગે ઘણી આલોચના થઈ હતી પણ તેનો જવાબ તેણે વર્લ્ડકપમાં તેનાં બોલિંગ પર્ફોર્મન્સથી આપ્યો હતો. પણ ઈજાને લીધે વિજય શંકરને વર્લ્ડકપની વચ્ચેજ ટીમમાંથી બહાર બેસવુ પડ્યું હતું. આશા છે કે લગ્ન બાદ તેની કિસ્મત ફરી એક વાર ખુલશે અને તે ભારતીય ક્રિકેટ ટીમની બ્લૂ જર્સીમાં લોકોને જોવા મળશે.