લમ્પી વાયરસને લઈને ગાયોના ટપોટપ મોત થઇ રહ્યા છે ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ વીડિયો બનાવી ગુરૂ લાલબાપુએ બનાવેલી દવાનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.
લમ્પી વાયરસને લઈને રવિન્દ્ર જાડેજાની અપીલ
ગુરૂ લાલબાપુએ બનાવી છે લમ્પી વાયરસની આયુર્વેદિક દવા
ગુરૂ લાલબાપુએ બનાવેલી દવાનો ઉપયોગ કરો: રવિન્દ્ર જાડેજા
ગૌવંશમા ફેલાયેલા લમ્પી વાયરસને લઇને પશુધન મોતના મુખમા ધકેલાઇ રહ્યું છે ત્યારે ગૌધનને બચાવવા ભારતીય ક્રિકેટ ટીમના રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયામાં વિનંતી કરતો એક વીડિયો વહેતો કર્યો છે. જેમા ગધેથડ પૂજ્ય લાલબાપુ દ્વારા બનાવવામા આવેલ આયુર્વેદિક ઉપચારોનો ગાયો માટે ઉપયોગ કરવા અનુરોધ કરવામા આવ્યો છે. ગુરૂ લાલબાપુએ બનાવેલી આયુર્વેદિક દવા એ લમ્પીના કહેરને રોકવા માંટે અકસીર ઈલાજ છે. જેંને લઇને અનેક ગાયોના જીવ પણ બચ્યા હોવાનો પણ દાવો કરાયો છે. આથી ગાયોને બચાવવા બનેલી આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવા રવિન્દ્ર જાડેજાએ અપીલ કરી છે.
ગુરૂ લાલબાપુએ આ અકસીર ઉપાય સૂચવ્યો
ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત પૂજ્ય લાલબાપુએ ગૌમાતામાં ફેલાઈ રહેલા લમ્પી વાયરસથી બચાવવા માટેનો દેશી અકસીર ઉપાય સૂચવ્યો છે. વેણુ ગંગા ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપુએ એક અનોખો સેવા યજ્ઞ શરૂ કરી લમ્પી વાયરસ સામે ગૌમાતાને બચાવવા માટે અકસીર દેશી ઈલાજ સૂચવ્યો છે. જેનાથી ઘણી બધી ગાયોના જીવ બચ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પૂજ્ય લાલબાપુએ જણાવ્યું કે, હળદર, કાળી મરીનો પાવડર, સાકર કે મધ, ઘીને રોટલીમાં ગાયોને આપવું જોઈએ. ગૌમાતાના શરીર ઉપર જે ગાંઠ પડી હોય તેના પર ફટકડી અને કપૂર વાળા પાણીનો દિવસમાં બે ત્રણ વખત છંટકાવ કરવો અને આ ડોઝ દિવસમાં બે વખત ગૌમાતાને આપવાથી ગાય માતાને બચાવી શકાય છે.
1200 થી 1300 જેટલી ગૌ માતાને લમ્પી વાયરસથી રક્ષણ મળ્યું
આ ઉપચારને જામનગરમાં આશાપુરા મિત્ર મંડળના યુવાનોએ દેશી ઉપચાર કરતા 1200થી 1300 જેટલી ગૌમાતાને લમ્પી વાયરસથી રક્ષણ મળ્યું હોવાનું પૂ. લાલબાપુએ જણાવ્યું છે. ગૌમાતાના શરીર ઉપર જે ચાઠા પડી ગયા હોય તેના પર ફટકડી અને કપૂર વાળું પાણી દિવસમાં બે ત્રણ વખત છંટકાવ કરવો અને આ ડોઝ દિવસમાં બે વખત ગૌમાતાને આપવો એવી રીતે આ ડોઝ ત્રણ દિવસ સુધી રોજ આપવાથી ગાય માતાને બચાવી શકાય છે. આ ઉપચારને જામનગરમાં આશાપુરા મિત્ર મંડળના યુવાનોએ દેશી ઉપચાર કરતા 1200 થી 1300 જેટલી ગૌ માતાને લમ્પી વાયરસથી રક્ષણ મળ્યું હોવાનું પૂ. લાલબાપુએ જણાવ્યું હતું.