કાર્ટર રામાસ્વામી ક્રિકેટ રમ્યા તે પહેલાં ભારત તરફથી ટેનિસનો આંતરરાષ્ટ્રીય મુકાબલો રમી ચૂક્યા હતા
૧૯૩૬માં ટેસ્ટ ડેબ્યૂ કરનારા ભારતીય ક્રિકેટર હાલ લાપતા
ભારત તરફથી ટેનિસનો આંતરરાષ્ટ્રીય મુકાબલો રમી ચૂક્યા હતા
રામાસ્વામીના પિતા, બે ભાઈ, પુત્ર અને ભત્રીજો પણ ક્રિકેટ રમી ચૂક્યા છે
૧૯૩૬માં ટેસ્ટ ડેબ્યૂ કરનારા ભારતીય ક્રિકેટર હાલ લાપતા
૪૦ વર્ષની ઉંમરે ૧૯૩૬માં ટેસ્ટ ડેબ્યૂ કરનારા ભારતીય ક્રિકેટર હાલ લાપતા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કાર્ટર રામાસ્વામી ગાયબ થયા બાદ ના તો તેમના જીવતા હોવાના કે ના તો મૃત્યુ પામ્યાના પુરાવા મળ્યા છે, જોકે તેમને મૃત માની લેવામાં આવ્યા છે. રામાસ્વામીનો જન્મ ૧૬ જૂન, ૧૮૯૬ના રોજ મદ્રાસ (હાલ ચેન્નઈ)માં થયો હતો. તેઓ ભારત તરફથી ક્રિકેટ ઉપરાંત ટેનિસમાં પણ રમ્યા હતા. તેઓ ૧૫ ઓક્ટોબર, ૧૯૮૫ના રોજ ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા નથી.
ભારત તરફથી ટેનિસનો આંતરરાષ્ટ્રીય મુકાબલો રમી ચૂક્યા હતા
કાર્ટર રામાસ્વામી ક્રિકેટ રમ્યા તે પહેલાં ભારત તરફથી ટેનિસનો આંતરરાષ્ટ્રીય મુકાબલો રમી ચૂક્યા હતા. ૧૯૨૨માં ડેવિસ કપમાં તેઓ રમ્યા હતા. ટીમે પ્રથમ રાઉન્ડના મુકાબલામાં રોમાનિયાને શિકસ્ત આપી હતી, પરંતુ બીજા રાઉન્ડની મેચમાં ભારતીય ટીમ સ્પેન સામે હારી ગઈ હતી. રામાસ્વામી જોકે પોતાની બંને ડબલ્સ મેચ જીતવામાં સફળ રહ્યા હતા. તેઓ ૧૯૧૯થી ૧૯૨૩ સુધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન લોકલ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યા હતા.
કાર્ટર રામાસ્વામી ૧૯૨૨માં વિમ્બલ્ડનમાં પણ ઊતર્યા હતા. તેમણે પ્રથમ રાઉન્ડનો મુકાબલો જીતી લીધો હતો, પરંતુ બીજા રાઉન્ડમાં તેમનો પરાજય થયો હતો. ૧૯૨૩માં સાઉથ ઓફ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ગોર્ડન લોવને ત્રણ સેટમાં હરાવીને ખિતાબ જીત્યો હતો. કાર્ટર રામાસ્વામી એ ત્રણ ભારતીય ક્રિકેટરોમાં સામેલ છે, જેમણે ક્રિકેટર તરીકે બે રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું. એમ. જે. ગોપાલન અને વર્તમાન ભારતીય ટીમમાં સામેલ યુઝવેન્દ્ર ચહલ આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે. રામાસ્વામીના પિતા, બે ભાઈ, પુત્ર અને ભત્રીજો પણ ક્રિકેટ રમી ચૂક્યા છે.
રામાસ્વામીના પિતા, બે ભાઈ, પુત્ર અને ભત્રીજો પણ ક્રિકેટ રમી ચૂક્યા છે
કાર્ટર રામાસ્વામીને ૪૦ વર્ષની ઉંમરે જુલાઈ-૧૯૩૬માં ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રમાયેલી એ ટેસ્ટમાં તેમણે ૪૦ અને ૬૦ રનની ઇનિંગ્સ રમી હતી, જોકે એ ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. રામાસ્વામીએ અંતિમ ટેસ્ટ ઓગસ્ટ-૧૯૩૬માં ઈંગ્લેન્ડ સામે જ રમી હતી. પોતાની અંતિમ ટેસ્ટમાં તેમણે ૨૯ અને અણનમ ૪૧ રન બનાવ્યા હતા, જોકે એ ટેસ્ટમાં ભારતનો પરાજય થયો હતો.
કાર્ટર રામાસ્વામી જમણેરી ફાસ્ટ બોલર પણ હતા. તેમણે ૫૩ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૨૯ની સરેરાશથી ૨૪૦૦ રન બે સદી અને ૧૨ અર્ધસદી સાથે બનાવ્યા હતા. બોલર તરીકે તેમણે ૩૦ વિકેટ પણ ઝડપી હતી. ૨૯ રન આપીને ચાર વિકેટ તેમનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. ૧૫ ઓક્ટોબર, ૧૯૮૫ના રોજ તેઓ ઘેરથી નીકળ્યા અને પછી ક્યારેય પાછા ફર્યા નથી. હવે તેમને મૃત માની લેવામાં આવ્યા છે.