JNUમાં બુકાનીધારીઓ દ્વારા થયેલી હિંસા બાદ ફરીથી JNU દેશમાં ચર્ચાનો વિષય બની છે. વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પર દેશભરમાંથી બોલીવૂડનાં કલાકારોએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. હાલમાં જ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કર્યા બાદ ઈરફાન પઠાણે JNU મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે.
દેશની છવી ખરાબ થઇ રહી છે : પઠાણ
CAA મુદ્દે થયેલા વિરોધ મુદ્દે પણ ઈરફાન પઠાણે આપ્યું હતું નિવેદન
પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં રવિવારે થયેલી હિંસા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે વિશ્વવિદ્યાલયોમાં જે કંઈ પણ થઇ રહ્યું છે તે દેશની છવીને બગાડી રહી છે. નોંધનીય છે કે પઠાણે હાલમાં જ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો.
What happened in JNU yesterday is not a regular incident.
Students being attacked by armed mob inside University campus, in hostels, is as broken as it can get. This isn’t helping our country’s image #JNUViolence
જેએનયુમાં હિંસા પર ઈરફાન પઠાણે ટ્વિટર પર લખ્યું કે 'કાલે JNUમાં જે કંઈ પણ થયું તે સામાન્ય ઘટના નથી. યુનિવર્સિટી કેમ્પસની અંદર જ હોસ્ટલમાં હથિયારો વડે વિદ્યાર્થીઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આનાથી ખરાબ બીજું શું હોઈ શકે? આનાથી આપણા દેશની છવીને ફાયદો નથી થઇ રહ્યો.'
9 વર્ષ સુધી ભારતીય ક્રિકેટમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઈરફાને શનિવારે સંન્યાસની જાહેરાત કરી
29 ટેસ્ટ અને 120 વન ડે રમી ચુકેલા ઈરફાન પઠાણે આ પહેલાં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનાં ઈજાગ્રસ્ત થવા ચિંતા વ્યક્ત કરીહતી અને ટ્વીટ કરીને કહ્યું હતું કે રાજનીતિક આરોપ અને પ્રત્યારોપ તો ચાલતા રહેશે પરંતુ હું અને મારો દેશ જામિયા મિલિયાનાં વિદ્યાર્થીઓને લઈને ખુબ ચિંતિત છે. 35 વર્ષીય ઈરફાન પઠાણે શનિવારે જ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યું હતું. 9 વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવતા રહ્યા. ટેસ્ટમાં તેમણે 100, વન ડેમાં 173 અને T 20માં 28 વિકેટ લીધી હતી. બેટિંગમાં પણ તેમનું આગવું યોગદાન હતું.
ઈરફાન પઠાણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ 2012માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમી હતી. પરંતુ તે બાદથી જ તેઓ ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યા હતા. તેઓ ભારત માટે 29 ટેસ્ટ, 120 વન ડે અને 24 T 20 મેચ રમી હતી.