ઇસ્લામાબાદઃ પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટીના ચેરમેન ઈમરાન ખાન આઝાદીનો જશ્ન મનાવ્યા બાદ 18મી ઓગસ્ટે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. તેમના શપથ સમારોહની તારીખ હવે નક્કી થઈ ગઈ છે. આ પહેલા PTIએ ઇમરાન ખાનને પ્રધાનમંત્રી પદ માટે નામાંકિત કર્યા છે. ઈસ્લામાબાદમાં એક ખાનગી હોટલમાં પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
પ્રધાનમંત્રી પદ માટે નામાંકન કરાતા ઇમરાન ખાનને વિશ્વાસ કરવા માટે પાર્ટીનો આભાર માન્યો છે. શુક્રવારે પીટીઆઈના પ્રવક્તા જાવેદ ખાને આ જાહેરાત કરી છે કે તેઓ 18મી ઓગસ્ટે શપથ લેશે. જેમાં કપિલ દેવ અને નવજોત સિદ્ધુ સહિત અન્ય હાજરી આપશે.
જણાવી દઇએ કે ક્રિકેટરથી નેતા બનેલા 65 વર્ષીય ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીફ એ ઇન્સાફ 25 જુલાઇએ થયેલ સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટા પાર્ટી બનીને ઉભરી આવી હતી.