હાર્દિક પંડ્યા ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે. હાલમાં જ તેમણે સગાઇ કરી છે. એક નિવેદનમાં હાર્દિક પંડ્યાએ પોતાની ઈમેજને લઈને ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે ઘણા લોકો તેમને ખોટો સમજે છે. જોકે હાલમાં તો ફિટનેસ ટેસ્ટમાં હાર્દિક પાસ ન થઇ શકતા ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં જઈ શકશે નહીં. તેમની જગ્યાએ વિજય શંકર ટીમમાં સામેલ થશે. હાર્દિક પંડ્યાએ પોતે જયારે બેન હતા તે સમયનાં અનુભવ પણ શેર કર્યા હતા.
ઈજાના કારણે હાર્દિક પંડ્યા ટીમની બહાર
હાર્દિકે પોતાની ઈમેજ પર આપી સફાઈ
હાર્દિકે કહ્યું લોકો તેને ખોટો સમજે છે
હાર્દિક પંડ્યા એક ચેટ શોમાં ટીપ્પણી કરીને ફસાયેલા હાર્દિક પંડ્યાને પીઠની સમસ્યા થઇ જે બાદ તેમને સર્જરી કરાવવી પડી અને ત્રણ મહિનાથી ક્રિકેટથી બહાર છે. હાલમાં જ તેમણે સગાઇ કરી લીધી છે. પોતાની ઈમેજ વિશે વાત કરતા હાર્દિકે કહ્યું કે બધા મને ઘમંડી સમજે છે.
'લોકો મને ખોટો સમજે છે'
પંડ્યાએ એક કાર્યક્રમમાં જયારે તેઓ બેન હતા તે સમયને યાદ કરીને કહ્યું કે 'મને હજુ યાદ છે હું મારા ઘરમાંથી બહાર નીકળી નહોતો શક્યો. ઘણા લોકો મને ખોટો સમજે છે. જે મને નથી સમજતા તે મને સમજે છે કે હું ઘમંડી છું અને મારાથી સરળતાથી વાત કરી શકતા નથી. જ્યારે ઘણા લોકો એવા છે જે મને આવીને કહે છે કે અમે આવું વિચાર્યું હતું પરંતુ તું તદ્દન જુદો છે.'
ભારતીય ટીમ પાંચ T 20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે
ભારતીય ટીમ 24 જાન્યુઆરીએ શરુ થનાર પાંચ T 20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે. આ મેચ માટે ટીમ રવિવારે ટીમ સિલેક્ટ કરશે. જોકે આ ટીમમાં હાર્દિક સામેલ થશે નહિ. ન્યુઝીલેન્ડમાં ભારત સફેદ બોલથી આઠ મેચ રમશે. પીઠની ઈજાને કારણે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાથી બહાર છે, પરંતુ એવી આશા હતી કે, આ વખતે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટીમમાં સામેલ થશે.
વિજય શંકર થશે સામેલ
હાર્દિક પંડ્યાને સર્જરીમાંથી રિકવર થવામાં હજુ થોડો સમય લાગશે. હવે તેની જગ્યાએ તમિળનાડુના કેપ્ટન વિજય શંકરને ભારત એ ટીમમાં સામેલ કરશે અને તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ગયો છે. ત્યાં ટીમ ન્યૂઝીલેન્ડ એ ટીમની સાથે 3 લિસ્ટ-એ મેચ રમશે.