પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. પરંતુ તે પહેલાં અફવાઓનું બજાર ગરમ થયુ છે. આવા એક અહેવાલ ચાલી રહ્યાં હતા કે ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર હરભજન સિંહ ભાજપમાં જોડાઈ શકે છે. જોકે, હરભજને આ અહેવાલને ફગાવી દીધા છે અને તેને ફેક ન્યુઝ ગણાવી છે.
પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા અફવાઓનું બજાર ગરમ
ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર હરભજન સિંહ ભાજપમાં જોડાશે?
હરભજને અહેવાલને ફગાવ્યાં, ગણાવ્યાં ફેક ન્યુઝ
હરભજન સિંહે ગણાવ્યાં ફેક ન્યુઝ
મીડિયા રિપોર્ટસ મુજબ, પંજાબ ચૂંટણી પહેલાં હરભજન સિંહ અને યુવરાજ સિંહ ભાજપમાં જોડાઈ શકે છે. જે અંગે હરભજને પ્રતિક્રિયા આપી ફેક ન્યુઝ ગણાવી છે. જોકે, યુવરાજ તરફથી અત્યાર સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
આ અહેવાલને ફેલાવા પાછળ હરભજન સિંહની નિવૃત્તિને પણ જોડવામાં આવતી હતી. ન્યુઝ એજન્સી મુજબ, હરભજનસિંહ આગામી અઠવાડિયે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લઇ શકે છે. ત્યારબાદ એવી અટકળો હતી કે સંન્યાસ બાદ હરભજન સિંહ રાજનીતિમાં પ્રવેશ કરી શકે છે. ત્રણ વર્ષ પહેલાના એક ઈન્ટરવ્યુમાં હરભજને કહ્યું હતુ કે જો તેમને કોઈ પાર્ટી ઓફર કરે છે તો તેઓ રાજનીતિમાં આવશ્ય આવશે. કારણકે તેઓ પંજાબના લોકો માટે કશું કરવા માંગે છે.