આર્ટિકલ 370 પર શાહિદ આફ્રિદીના ટ્વિટ પર પૂર્વ ક્રિકેટર અને સાંસદ બનેલા ગૌતમ ગંભીરે એને છાપ દેખાડવાનું કામ કર્યું છે. પોતાના જવાબમાં ગંભીરે આફ્રિદીને કહ્યું કે સમસ્યાઓ POK માં છે, તું ચિંતા ના કરીશ એનો પણ ઉકેલ લાવીશું.
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ કાશ્મીરના સ્પેશિયલ સ્ટેટસ ખતમ કરવાથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ આફ્રિદીએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આફ્રિદીના આ ગુસ્સા પર ક્રિકેટરથી સાંસદ બનેલા ગૌતમ ગંભીરે જવાબ આપવામાં મોડું ના કર્યું. એક સમયમાં આક્રમક શૈલીનો બેટ્સમેન રહેલા ગૌતમ ગંભીરે આફ્રીદીએ ટ્વિટર પર રિપ્લાય કરતા એને અરીસો દેખાડ્યો અને એમને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની યાદ અપાવી. સાથે જ ગંભીર આફ્રિદીને એવું પણ જણાવ્યું કે ચિંતા મત કરો બેટે, હમ ઉસકા ભી હલ નિકાલ લેગે, આ તક પર ગંભીરે પોતાના અંદાજમાં આફ્રિદીને 'બેટા' પણ કહ્યું છે.
ભારતે કાશ્મીરથી આર્ટિંકલ 370 હટાવીને એને મળેલું સ્પેશિયલ સ્ટેટસ હટાવ્યું તો પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરે ટ્વિટ કરતા સંયુક્ત રાષ્ટ્ર પર પ્રશ્નો ઊઠાવ્યા અને અમેરિકા પાસે મદદની ઇચ્છા વ્યક્ત કરી. આફ્રિદીના આ ટ્વિટ પર ક્રિકેટના બિરાદરીથી ગૌતમ ગંભીરને કરારા જવાબ આપ્યો છે.
@SAfridiOfficial is spot on guys. There is “unprovoked aggression”, there r “crimes against humanity”. He shud be lauded 👏for bringing this up. Only thing is he forgot to mention that all this is happening in “Pakistan Occupied Kashmir”. Don’t worry, will sort it out son!!!
ગંભીરે આફ્રિદીને ટેગ કરતાં લખ્યું, 'દોસ્તો શાહિદ આફ્રિદી બિલકુલ ઠીક છે. ત્યાં અનુત્તેજતિ આક્રમકતા છે, ત્યાં માનવતાની વિરુદ્ધ અપરાધ થઇ રહ્યા છે. તેઓ આ મામલો સામે લાવ્યા, એટલા માટે એના વખાણ કરવા જોઇએ.' ગંભીરે આ વાક્યની આગળ તાલિયો પાડતા ઇમોજીનો પણ ઉપયોગ કર્યો.
ત્યાર બાદ એને આગળ લખ્યું, 'બસ તેઓ એમાં એક વાત લખવાનું ભૂલી ગયા કે આ બધું 'પાકિસ્તાન અધિકૃત કાશ્મીર' માં થઇ રહ્યું છે.' ચિંતા ના કરશો, અમે એનો પણ ઉકેલ નિકાળીશું બેટે !!!'
Kashmiris must be given their due rights as per #UN resolution. The rights of Freedom like all of us. Why was @UN created & why is it sleeping? The unprovoked aggression & crimes being committed in Kashmir against #Humanity must be noted. The @POTUS must play his role to mediate
જણાવી દઇએ કે પોતાના ટ્વિટમાં આફ્રિદીએ કહ્યું છે કે, 'કાશ્મીરીઓને સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવ અંતર્ગત તેમના અધિકારો મળવા જોઇએ. જે રીતે આપણા બધા પાસે આઝાદીનો અધિકાર છે એ જ રીતે. UN કેમ બનાવવામાં આવ્યું અને તે ઊઁઘી રહ્યું છે. કાશ્મીરમાં માનવતા વિરુદ્ધ જે ઉશ્કેરણી વિનાના અપરાધ અને દખલગીરિ કરવામાં આવી રહી છે તે જોવું જરૂરી છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખે મધ્યસ્થતા કરવી જોઇએ.'