દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લામાં એક મેચ દરમિયાન ગરદન પર બોલ વાગ્યા બાદ ગુરુવારે એક ક્રિકેટરનું અવસાન થયું હતું. પોલીસે કહ્યું કે ઉત્તર કાશ્મીરના બારમુલ્લા જિલ્લામાં રહેતા જહાંગીર અહમદ વાર અનંતનાગમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વારે સુરક્ષાના તમામ સાધનો પહેર્યા હતા, તેમ છતાં દડો વાગતા તે બેભાન બની ગયો હતો.
J&K Governor Satya Pal Malik has expressed grief over the death of Jahangir Ahmad War, an 18-year-old cricketer, who died while playing a cricket match in Anantnag district. He has announced an ex-gratia of Rs 5 Lakh to the next of kin of the deceased. (file pic) pic.twitter.com/2ikRoXGHhR
ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ક્રિકેટરના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમના પરિવાર માટે પાંચ લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું. મલિકે તેના પરિવારજનોને શોક સંદેશ મોકલીને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે ધોરણ 11 ના વિદ્યાર્થી, જહાંગીરે તાજેતરમાં જ અન્ડર -19 ક્રિકેટ કેટેગિરીમાં પસંદ કરાયો હતો. તે બારમુલ્લા ક્રિકેટ ક્લબ માટે રમે છે.
અનંતનાગ જીલ્લાના નાઇલ ક્ષેત્રમાં, યુવા સેવાઓ અને રમત વિભાગમાં બારમુલ્લા અને બદગામ વચ્ચે ક્રિકેટ મેચ રમાઇ હતી. તે સમયે જહાંગીરને ઈજા થઇ હતી અને તેનું મોત નિપજ્યું હતું.