શ્રીલંકા વિરૂદ્ધ પહેલા અઠવાડિયામાં શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરિઝ માટે રિદ્વિમાન સાહાને ટીમ ઈન્ડિયામાં જગ્યા નથી મળી શકી.
શ્રીલંકા વિરૂદ્ધ ટેસ્ટમાં આ ખેલાડીનું પત્તુ કટ
ટીમમાં ન મળી જગ્યા
ગાંગુલી અને દ્રવિડ વિશે કહી આ વાત
શ્રીલંકા વિરૂદ્ધ માર્ચના પહેલા અઠવાડિયામાં શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરિઝ માટે રિદ્વિમાન સાહાને ટીમ ઈન્ડિયામાં જગ્યા નથી મળી શકી. હવે તેમણે આ સંપૂર્ણ મામલામાં પોતાની વાત કહી છે. તેમણે કહ્યું છે કે કોચ રાહુલ દ્રવિડે તેમને પહેલા જ રિટાયરમેન્ટ વિશે વિચારવાની સલાહ આપી હતી.
વિકેટકિપર બેલ્ટમેન રિદ્ધિમાન સાહાએ કહ્યું, "ટીમ મેનેજમેન્ટે ઘણા સમય પહેલા જ એ જણાવી દીધુ હતું કે જ્યારે હવે મને ટીમ ઈન્ડિયામાં નહીં લેવામાં આવે. મેં અત્યાર સુધી આ વાત ન જણાવી કારણ કે ટીમ સેટ અપનો ભાગ હતો. અહીં સુધી કે કોચ રાહુલ દ્રવિડે પણ મને પહેલા જ રિટાયરમેન્ટ વિશે વિચારવાની સલાહ આપી હતી."
સાહાએ આ સમયે BCCI પ્રેસિડેન્ટ સોરવ ગાંગુલીનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાહાએ કહ્યું, "જ્યારે મેં ગયા વર્ષે નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પેન કિલર લઈને 61 રન બનાવ્યા હતા તો દાદાએ મને વોટ્સએપ પર શુભકામનાઓ પાઠવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યા સુધી તે BCCIના સર્વેસર્વા છે, ત્યાં સુધી મને સિલેક્શનની ચિંતા કરવાની જરૂર નથી. બોર્ડ પ્રેસિડેન્ડનો આવો સંદેશ મેળવીને મને ખૂબ આત્મવિશ્વાસ મળ્યો હતો. હું એ નથી સમજી શકી રહ્યો કે તો પછી અચાનક બધુ આટલી જલ્દી કઈ રીતે બદલાઈ ગયું."
ફોન પર મળી ધમકી
વિકેટકિપર બેસ્ટમેન ઋદ્ધિમાન સાહાએ પોતાના ટ્વીટર એક એક સ્ક્રીન શોર્ટ શેર કર્યો છે. તેના જણાવ્યા અનુસાર તેને એક પત્રકારે ઈન્ટરવ્યૂ માટે પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.
After all of my contributions to Indian cricket..this is what I face from a so called “Respected” journalist! This is where the journalism has gone. pic.twitter.com/woVyq1sOZX
ટ્વીટર પર તે પત્રકાર સાથે વોટ્સએપ વાતચીતનો સ્ક્રીનશોર્ટ શેર કરતા સાહાને લખ્યું, "ભારતીય ક્રિકેટમાં મારા દરેક યોગદાન બાદ... એક તથાકથિત સન્માનિત પત્રકાર પાસેથી મને આ સામનો કરવો પડ્યો છે. પત્રકારત્વ ક્યાં પહોંચી ગયું છે."
જણાવી દઈએ કે રિદ્ધિમાન સહિત ત્રણ બીજા સીનિયર ક્રિકેટર્સને આગામી ટેસ્ટ સીરીઝથી બહાર રાખવામાં આવ્યા છે. તેમાં ચેતેશ્વર પુજારા, અજીંક્યા રહાણે અને ઈશાંત શર્માના નામ શામેલ છે. નેશનલ સિલેક્શન કમિટીના ચેરમેન શર્માએ આ બધા દિગ્ગજોને ટીમમાં પસંદ ન કરવાનું એલાન કરતા કહ્યું હતું કે દરેક સીનિયર્સને રણજી ટ્રોફી રમવા માટે કહેવામાં આવ્યું છે. ત્યાં પોતાની ફોર્મ તલાશવા માટે દરેક ખેલાડીને દેશની તરફથી ફરી રમી શકે છે.