ટીમ ઇન્ડિયાએ જ્યારે ન્યૂઝીલેન્ડ (New Zealand)ને ટી20 (T20)માં એક તરફી 5-0થી હરાવી હતી તો એવુ લાગતુ હતું કે વનડે સીરિઝમાં પણ વિરાટ એન્ડ કંપની કંઇક કમાલ બતાવશે પરંતુ થયું તેનાથી બિલકુલ ઉલટુ. ભારતીય ટીમ હેમિલ્ટન બાદ ઑકલેન્ડમાં પણ વનડે મેચ હારી ગઇ અને આ સાથે તેના હાથોથી સીરિઝ પણ ચાલી ગઇ. જોકે, વનડે સીરિઝ હાર્યા બાદ વિરાટ કોહલીનું જે વલણ હતું તે ઘણું હેરાન કરનારુ હતું.
ટીમ ઇન્ડિયાનો વનડે સીરિઝ ગુમાવી
ભારતને ઑકલેન્ડ વનડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો
વિરાટ કોહલીએ હેરાન કરનારું નિવેદન આપ્યું
વિરાટ કોહલી (Virat Kohli)એ વનડે સીરિઝ બાદ અજીબોગરીબ નિવેદન આપ્યું અને કહ્યું કે આ વર્ષે ટેસ્ટ અને ટી20 સીરિઝ મહત્વપૂર્ણ છે તેથી વનડે સીરિઝ હારવાથી કોઇ ફર્ક નથી પડતો.
હાર્યા બાદ વિરાટનું અજીબોગરીબ નિવેદન
ઑકલેન્ડમાં બીજી વનડે ગુમાવ્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું, 'બે સારી મેચ થઇ, ફેન્સને મજા આવી હશે. અમે જે પ્રકારે મેચ ખતમ કરી, તેનાથી હું ઘણો પ્રભાવિત થયો. અમે પહેલી ઇનિંગમાં મેચ હાથથી જવા દીધી પરંતુ અમારી બેટિંગ દરમિયાન અમે વાપસી કરી. અમે મેચમાં મુસીબતમાં હતા પરંતુ જાડેજા અને સૈનીએ સારી બેટિંગ કરી, શ્રેયસ અય્યરે પણ સારું પ્રદર્શન કર્યું. જો અમે ટી20 અને ટેસ્ટની તુલના કરીએ તો અમારા માટે આ વર્ષે વનડે મેચ વધારે મહત્વપૂર્ણ નથી.'
વિરાટ કોહલીએ આગળ કહ્યું, 'અમે ખુલીને ક્રિકેટ રમીશું, અમને પરિણામની કોઇ ચિંતા નથી'.
અંતિમ વનડેમાં થશે બદલાવ
વિરાટ કોહલીએ ઑકલેન્ડ વનડેમાં હાર બાદ કહ્યું કે 11 ફેબ્રુઆરીએ થવાવાળી ત્રીજી મેચમાં તેઓ ટીમ ઇન્ડિયામાં બદલાવ કરશે. વિરાટ કોહલીએ કહ્યું, 'અમે અંતિમ વનડેમાં બદલાવ કરવાનું વિચારી રહ્યા છીએ. હવે અમારી પાસે ગુમાવા માટે કંઇ નથી.' વિરાટ કોહલીએ કહ્યું,' જો ભારતીય ટીમના નીચલા ક્રમની બેટિંગ આટલી સારી બેટિંગ કરી શકે છે તો તેનાથી મિડલ ઓર્ડર અને ટોપ ઓર્ડરને પણ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળે છે.'
નોંધનીય છે કે, ભારતીય ટીમે ઑકલેન્ડમાં મેચ ગુમાવી દીધી. ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા 273 રન બનાવ્યા, જવાબમાં ટીમ ઇન્ડિયા 251 રનોમાં જ સમેટાઇ ગઇ.