વર્લ્ડ ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓમાં જાણીતા સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારની સુરક્ષા નક્કી કરનારી કમિટિએ મંગળવારે મોટો નિર્ણય લીધો છે અને 45 લોકોની સુરક્ષામાં બદલાવ લાવ્યો છે. તેમાં સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરનું નામ પણ સામેલ છે. કમિટીએ 97 નામી નેતાઓ, કલાકારો અને ખેલાડીઓની સુરક્ષાની સમીક્ષા કરી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય
સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરની સુરક્ષા હટાવી લેવાઈ
45 વ્યક્તિઓની સુરક્ષામાં થયો બદલાવ
સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરની સુરક્ષા હટી
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારની તરફથી સચિનને Z અને ગાવસ્કરને X શ્રેણીની સુરક્ષા મળી હતી, જેને હવે હટાવી લેવામાં આવી છે. કોઈ પણ સરકાર કોઈ વ્યક્તિને ખતરાના આધારે સુરક્ષા આપે છે. સુરક્ષા એજન્સીઓના રિપોર્ટના આધારે મહારાષ્ટ્ર સરકારે બંને ખેલાડીઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય કર્યો.
X શ્રેણીની સુરક્ષા ભારતમાં ચોથા સ્તરની સુરક્ષા ગણવામાં આવે છે. તેમાં 2 પોલીસ તૈનાત રહે છે. તેમાં કોઈ કમાન્ડો હોતા નથી. પોલિસવાળા હથિયારબંદ હોય છે. તેમાં સુરક્ષા મેળવનારી વ્યક્તિને એક પર્સનલ સુરક્ષા અધિકારી મળે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં સચિન તેંડુલકરને આતંકી ધમકી મળી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે તેમને કડક સુરક્ષા આપી હતી. સચિનને Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી.
ઉદ્ધવ ઠાકરેને મળ્યા સચિન અને ગાવસ્કર
ઉલ્લેખનીય છે કે ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મંગળવારે મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે બંને ક્રિકેટરોએ મુખ્યમંત્રીના રહેવાસ માતોશ્રીમાં મુલાકાત કરી. તેને શિષ્ટાચાર મુલાકાત ગણાવવામાં આવી હતી. આ મુલાકાત બાદ બંનેની સુરક્ષા પણ હટાવી લેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે સીએમ ઉદ્ધવ ઠાકેએ એ વાત તેમને જણાવી હશે.
ઉલ્લેખનીય છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમની પાર્ટીએ એનસીપી અને કોંગ્રેસની સાથે મળીને મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધન બનાવ્યું છે.