ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ T-20 વર્લ્ડ કપની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી દીધી છે. ઓક્ટોબર-નવેમ્બરમાં T-20 વર્લ્ડ કપ પૂરો થશે તે પછી કોહલી કેપ્ટનશીપ છોડી દેેશે.
વિરાટ કોહલીની મોટી જાહેરાત
T-20 વર્લ્ડ કપ બાદ છોડી દેશે કેપ્ટનશીપ
ઓક્ટોબર-નવેમ્બર બાદ કેપ્ટન પદેથી આપશે રાજીનામુ
ટ્વિટર પર કરી જાહેરાત
રોહિત શર્માને તક મળી શકે
વિરાટ કોહલીએ ટીમ ઈન્ડીયાની T-20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. કોહલીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ઓક્ટોબર-નવેમ્બરમાં T-20 વર્લ્ડ કપ બાદ તે T-20ની કેપ્ટનશીપ છોડી દેશે. જોકે કોહલીએ સ્પસ્ટ કર્યું છે કે તે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે.
સાથી ખેલાડીઓની સલાહ બાદ આ નિર્ણય લીધો
કોહલીએ કહ્યું કે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને રોહિત શર્મા સહિત સાથી ખેલાડીઓની સલાહ બાદ આ નિર્ણય લીધો છે. કોહીલેએ કહ્યું કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહને મારા નિર્ણયની જાણ કરી દીધી છે.
કોહલીએ જણાવ્યું કે હું ફક્ત ટીમ ઈન્ડીયાની આગેવાની લેવામાં જ નસીબદાર રહ્યો નથી પરંતુ મારી પૂરી તાકાતથી ટીમ ઈન્ડીયાની આગેવાની કરી છે. ટીમ ઈન્ડીયાના કેપ્ટન તરીકે મારી સફરમાં મને યોગદાન આપનાર તમામ લોકોનો આભાર માનું છું. કોહલીએ કહયું કે ટી20 કેપ્ટનશીપ દરમિયાન મેં ટીમને મારી પૂરી તાકાત આપી છે અને હું ભવિષ્યમાં પણ ટી20 ટીમ મારુ સર્વશ્રેષ્ઠ યોગદાન આપતો રહીશ.
ફક્ત કેપ્ટનશીપ છોડશે ટી-20 માં રમવાનું ચાલુ રાખશે
વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપ બાદ ફક્ત કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે ટીમમાં તે રમતો રહેશે.
રોહિત શર્માને T-20 ટીમનો કેપ્ટન બનાવાય તેવી સંભાવના
વિરાટ કોહલીના કેપ્ટનશીપ છોડવાના નિર્ણય બાદ રોહિત શર્માને ટીમ ઈન્ડીયાના ટી-20 ટીમનો કેપ્ટન બનાવાય તેવી સંભાવા છે. રોહિતની આગેવાનીમાં ભારતે 19 મેચમાંથી 14 મા વિજય મેળવ્યો છે જ્યારે 4 માં હારનો સામનો કરવો પડ્યો છે.
કોહલીએ 45 ટી-20માં કેપ્ટનશીપ કરી
વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 45 ટી-20માં ભારતની કેપ્ટનશીપ કરી છે. આ દરમિયાન ટીમ 25 મેચ હારી ને 14માં હારી ગઈ છે. તે જ સ્થળે. બે મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી અને તે જ અનિર્ણાયક રહી હતી. વિરાટની કેપ્ટનશીપમાં જીતની ટકાવારી ૬૫.૧૧ રહી છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 19 ટી-20માં ભારતની કેપ્ટનશીપ કરી છે. જેમાંથી ભારતે 15 મેચ જીતી છે અને માત્ર 4માં જ હારનો સામનો કરવો પડ્યો છે. રોહિતની કેપ્ટનશીપમાં જીતની ટકાવારી ૭૮.૯૪ રહી છે. કોહલીના કેપ્ટનશીપ છોડવા અંગે ઘણા સમયથી ચર્ચા થઈ રહી હતી.