બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / શ્રીસંતને થપ્પડ, જાડેજા પર બેન, જાણો IPLના ઇતિહાસના 5 મોટા વિવાદ, જે ખૂબ ચર્ચામાં રહેલા
Last Updated: 10:49 AM, 19 March 2025
IPL 2025ની શરૂઆત થોડા દિવસો પહેલા થઇ ચૂકી છે. આ IPLની 18મી સીઝન છે જે 22 માર્ચથી શરૂ થશે અને ફાઇનલ મેચ 25મીના રોજ રમાશે. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. IPL 2025 સીઝનમાં, આ 10 ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઇનલ સહિત કુલ 74 મેચ રમાશે. એમ કહી શકાય કે IPLનો ઇતિહાસ જેટલો રસપ્રદ રહ્યો છે તેટલો જ વિવાદોથી ભરેલો પણ રહ્યો છે. પહેલી સીઝનથી લઈને 17મી સીઝન સુધી આ શો સાથે ઘણા મોટા વિવાદો જોડાયેલા છે. ચાલો જાણીએ આમાંથી 5 ખાસ અને મોટા વિવાદો વિશે...
ADVERTISEMENT
આ મોટી ટુર્નામેન્ટ IPLની શરૂઆત લલિત મોદી દ્વારા કરવામાં આવી હતી. તેણે આ માટે પોતાનાથી બનતો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રથમ ત્રણ સીઝન પછી, લલિત મોદીને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો. વાસ્તવમાં, લલિત મોદી પર IPLના નાણાકીય બાબતોમાં અનિયમિતતાનો આરોપ હતો. જેના કારણે તેને લીગમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. લલિત મોદીને રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ ટીમોની શંકાસ્પદ હરાજી, સોની સાથેના પ્રસારણ કરારમાં અનિયમિતતા સહિત 5 મુખ્ય કેસોમાં આરોપી માનવામાં આવ્યા હતા. હાલમાં, લલિત મોદીને ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે અને તે વનુઆતુમાં રહે છે.
ADVERTISEMENT
IPL 2013 ની સીઝન ફક્ત રોમાંચક મેચોને કારણે જ નહીં પરંતુ હરભજન સિંહ અને એસ શ્રીસંત વચ્ચેના વિવાદને કારણે પણ સમાચારમાં રહી હતી. આ સિઝનની શરૂઆતના 12મા દિવસે, મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (તે સમયે કિંગ્સ ઈલેવન પંજાબ) વચ્ચે મેચ રમાઈ હતી. મુંબઈ મેચ હારી ગયું હતું. ત્યારબાદ શ્રીસંતે હરભજન સિંહને 'હાર્ડલક' કહ્યો. આ શબ્દો સાંભળીને ભજ્જી ગુસ્સે થઈ ગયો અને તેણે શ્રીસંતને મેદાનની વચ્ચે જ થપ્પડ મારી દીધી. જેના પર તે રડતો જોવા મળ્યો અને મામલો વધુ ઉગ્ર બન્યો. આ કૃત્ય બદલ ભજ્જી પર આખી સીઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે બીસીસીઆઈએ તેને 5 વનડે મેચમાંથી પણ બાકાત રાખ્યો હતો. પણ હવે બંને સારા મિત્રો બની ગયા છે.
IPLમાં, ફ્રેન્ચાઇઝી ખેલાડીઓને આકર્ષક ઓફરો આપતી રહે છે. ઘણા ખેલાડીઓ આ જાળમાં ફસાઈ જાય છે, પરંતુ ઘણા પ્રમાણિક રહે છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આવા જ એક કેસમાં ફસાઈ ગયા હતા. તે સમયે તે રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતો હતો. પરંતુ તે પોતાની ફ્રેન્ચાઇઝીને જાણ કર્યા વિના મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાવા માટે કરાર પર હસ્તાક્ષર કરી રહ્યો હતો. રાજસ્થાન ફ્રેન્ચાઇઝ અને IPL ગવર્નિંગ કાઉન્સિલને આ વાતની જાણ થઈ ગઈ. આ પછી, જાડેજા દોષિત સાબિત થયો અને તેના પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 2011 સીઝનમાં કોચી ટસ્કર્સ કેરળમાં જોડાયા બાદ, જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો ભાગ બન્યો
૨૦૧૩ની આઈપીએલ સીઝન સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજી કૌભાંડને કારણે ખૂબ ચર્ચામાં રહી હતી. ત્યારબાદ ફિક્સિંગ કેસમાં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ એસ શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજીત ચંદીલાના નામ સામે આવ્યા હતા. તે બધા સામે કેસ દાખલ કરવામાં આવ્યો અને તેમને દોષિત ઠેરવવામાં આવ્યા. આ પછી, BCCI એ આ ખેલાડીઓ પર IPLમાંથી આજીવન પ્રતિબંધ મૂક્યો. આ ઉપરાંત, સટ્ટાબાજીના કેસમાં, BCCI એ ચેન્નાઈના માલિક એન શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન અને રાજસ્થાનના માલિક રાજ કુન્દ્રાને દોષિત ઠેરવ્યા હતા. જેના કારણે રાજસ્થાન અને ચેન્નાઈની ટીમો પર બે-બે વર્ષ (૨૦૧૬-૨૦૧૭) માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
અનુભવી ક્રિકેટરો ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી પણ વિવાદોથી દૂર રહી શક્યા નહીં. એક સીઝન એવી હતી જ્યારે બંને મેચ દરમિયાન એકબીજા સાથે ઝઘડ્યા હતા. તેમની વચ્ચે ખૂબ ઝઘડો થયો. આ વિવાદની પણ ખૂબ ચર્ચા થઈ હતી. 2023 સીઝનમાં રમાયેલી એક મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 18 રનથી હરાવ્યું. આ મેચ પછી, હાથ મિલાવતી વખતે, વિરાટ કોહલી અને લખનૌ ટીમના બોલર નવીન ઉલ હક ફરી ટકરાયા. આ દરમિયાન કોહલીનો ગંભીર સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ. ખેલાડીઓએ દરમિયાનગીરી કરી હતી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.