દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોનાથી સંક્રમિત થયો છે. આ કારણે આઈપીએલ 2022માં આજે થનારી દિલ્હી અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચને લઈને આશંકાઓ વધી ગઈ છે.
IPL પર કોરોનાનો કહેર વર્તાયો
દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી પોઝિટિવ આવ્યો
તમામ ખેલાડીઓને રૂમ બહાર જવા પર પ્રતિબંધ
દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોનાથી સંક્રમિત થયો છે. આ કારણે આઈપીએલ 2022માં આજે થનારી દિલ્હી અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચને લઈને આશંકાઓ વધી ગઈ છે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની છે. દિલ્હીના ટીમ સિકર્ટ પોઝિટિવ આવનારો બીજો ખેલાડી છે. આ અગાઉ માર્શ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત 4 સપોર્ટ સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. બોર્ડ તરફથી તમામ ખેલાડીઓને રૂમમાંથી બહાર જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડોર ટૂ ડોર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. પોઝિટિવ કેસ વધશે તો મેચ પણ સ્થગિત થઈ શકે છે. પહેલા તેનું વેન્યૂ ચેંજ થઈ ચુક્યું છે. પહેલા દિલ્હી અને પંજાબ વચ્ચે પુણેમાં મેચ રમાવાની હતી, પણ કોવિડના કારણે મુંબઈના બ્રેબોન સ્ટેડિમયમાં મેચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
An overseas player in the IPL team Delhi Capitals has been found positive in rapid testing. His RT-PCR awaited report is awaited.
એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર ટિમ સિફર્ટ પોઝિટિવ આવ્યો છે. જાણકારી અનુસાર, સુરક્ષાને જોતા એક ફ્રેંચાઈઝી મેચ રમવા માટે તૈયાર નથી. ત્યારે આવા સમયે મેચને લઈને ટૂંક સમયમાં નિર્ણય થઈ શકે છે. ગત સીઝનમાં કોરોનાના કારણે ટી 20 લીગ 2 તબક્કામાં કરાવામાં આવી હતી. પ્રથમ તબક્કો ભારતમાં જ્યારે બીજો તબક્કો યુએઈમાં થયો હતો. દેશમાં કેટલાય મોટા શહેરોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે.
BCCIની શાખ દાવ પર લાગી
ગત વખતે જ્યારે પોઝિટિવ કેસ આવ્યા હતા, ત્યારથી કેટલાય ખેલાડીઓએ રમવા માટે ના પાડી હતી. પણ બોર્ડ શરૂમાં તૈયાર થયું નહોતું. ત્યાર બાદ કેટલીય ટીમના ખેલાડીઓ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે આવા સમયે ફરી એક વાર બીસીસીઆઈ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા તૈયાર નથી. કોરોનાના કારણે આ વખતે લીગ રાઉંડ ફક્ત 4 વેન્યૂ પર કરાવાનો નિર્ણય કર્યો છે.