ભારતીય ટીમના ટેસ્ટ અને વનડે કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી ત્રણ સિઝન માટે ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સાથે રહેવા સિવાય તેમની પાસે કોઈ વિચાર નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મેગા હરાજી પહેલાં પોતાના રિટેન કરવામાં આવેલા ખેલાડીઓનો ખુલાસો કર્યો.
ભારતીય ટીમના વન-ડે કેપ્ટન વિરાટ કોહલીએ પ્રતિજ્ઞા સાથે ભર્યો હુંકાર
IPLની આગામી ત્રણ સિઝન સુધી RCB સાથે રહેવા સિવાય કોઈ વિચાર નથી
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ એક અદભૂત યાત્રા રહી છે
હજી ત્રણ સિઝન RCB સાથે
ફ્રેન્ચાઈઝીએ વિરાટ કોહલીને 15 કરોડ, ગ્લેન મૈક્સવેલને 11 કરોડ રૂપિયા અને મોહમ્મદ સિરાજને 7 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. આરસીબી દ્વારા રિટેન કરાયા બાદ વિરાટ કોહલીએ ફ્રેન્ચાઈઝીના યુ-ટ્યુબ ચેનલ પરના એક વીડિયોમાં કહ્યું, સફર યથાવત છે. મને આરસીબીએ રિટેન કર્યો છે. જ્યારે મારી સાથે સંપર્ક કરવામાં આવ્યો તો કોઈ બીજો વિચાર આવ્યો નહીં. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ એક અદભૂત યાત્રા રહી છે. ફ્રેન્ચાઈઝીની સાથે વધુ ત્રણ વર્ષ મારા માટે મહત્વ ધરાવે છે અને મને આ વાતનો વિશેષ અહેસાસ છે કે આગામી સિઝનમાં શું થવાનુ છે.
દિલ અને આત્માથી RCBની સાથે
તેમણે વધુમાં કહ્યું, મારા પ્રશંસક આધાર અદભૂત છે. મેનેજમેન્ટ મારા અને અન્ય બધા ખેલાડીઓની સાથે અદભૂત રહ્યું છે. નવી ઉર્જા અને મેદાન પર મારું એક અલગ રૂપ. પરંતુ હું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પોતાના દિલ અને આત્માની સાથે રહીશ. આઈપીએલ 2021 સિઝનના યુએઈ તબક્કા પહેલાં વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે તેઓ 2022થી આરસીબીની કેપ્ટનશિપ નહીં કરે. વિરાટે કેપ્ટનશિપ છોડવાનું કારણ વર્કલોડ જણાવ્યું હતુ.
“The amazing journey at RCB continues. 3 more years with this franchise that means so much to me. I believe the best is yet to come.” - @imVkohli
મહત્વનું છે કે વિરાટ કોહલીને 15 કરોડ રૂપિયાના કરાર પર રાખવામાં આવ્યો છે. જે છેલ્લાં ત્રણ વર્ષોમાં તેમની કમાણીથી 2 કરોડ રૂપિયા ઓછા છે. કોહલીએ વધુ પૈસા કમાવાની સાથે હરાજીમાં પ્રવેશ કરવા માટે ફ્રેન્ચાઈઝીની જરૂરીયાતોને પૂરી કરવા માટે પગારમાં ઘટાડો કર્યો છે. આરસીબી પાસે યુઝવેન્દ્ર ચહલને જાળવવાની આશા હતી. પરંતુ આવુ થયુ નહીં. આરસીબીના 90 કરોડના પર્સમાંથી ફક્ત 33 કરોડ કાપવામાં આવ્યાં છે. જેનો અર્થ છે કે તેઓ પોતાની કીટીમાં 57 કરોડ રૂપિયાની સાથે હરાજીમાં પ્રવેશ કરશે.