હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેચમાં રમશે કે નહીં તેને લઈને હાલ સસ્પેન્સ યથાવત છે.
ટીમ ઈન્ડિયાના આ ખેલાડી માથે હતી લટકતી તલવાર
મેન્ટોરે આ રીતે બચાવી લીધો
જાણો શું હતું કારણ
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઈને હાલ ચર્ચા ગરમ છે. ખરાબ બેટિંગ ફોર્મની સાથે-સાથે તે હાલ બોલિંગમાં પણ કંઈ ખાસ કમાલ નથી કરી શકતા. એવામાં તેમને પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કરવાને લઈને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ખબર આવી રહી છે કે સિલેક્ટર્સ હાર્દિક પંડ્યાના ફોર્મને લઈને ખુશ નથી અને તેમને ભારત પરત મોકલવા માંગતા હતા. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના મેન્ટોર મહેન્દ્ર સિંહ ધોનીએ તેમને બચાવી લીધા.
જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા ગયા વર્ષના આઈપીએલમાં જબરદસ્ત ફોર્મમાં હતા. પરંતુ આ વખતે તે ફ્લોપ રહ્યા છે. તેમણે 12 મેચમાં ફક્ત 127 રન બનાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે સિલેક્ટર્સ તેમના ખરાબ ફોર્મ અને બોલિંગના કારણે તેમને ભારત પરત મોકલવા માંગતા હતા. પરંતુ ધોનીએ મેન્ટોર બન્યા બાદ પંડ્યાને એમ કહીને બચાવી લીઘુ કે તે ટીમમાં જબરજસ્ત ફિનિશર છે.
શું થશે પંડ્યાનું?
જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન વિરૂદ્ધ બોલિંગ ન હતી કરી. સાથે જ બેટિંગમાં પણ તે કંઈ ખાસ કમાલ ન હતા કરી શક્યા. જોકે પાછલા થોડા દિવસોમાં તે દુબઈમાં નેટ સેશન વખતે બોલિંગ કરી રહ્યા હતા. એવામાં માનવામાં આવી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ તે બોલિંગ કરી શકે છે. જો એવું ન થયું તો પછી આવનાર મેચોમાં પંડ્યાની જગ્યા પર શાર્દુલ ઠાકુર અથવા તો દીપક ચાહરને તક આપવામાં આવી શકે છે.
પંડ્યાને વિરાટનો સાથ
પાકિસ્તાન વિરૂદ્ધ મેચ પહેલા વિરાટે હાર્દિકના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નંબર 6ની બેટ્સમેન રાતો રાત તૈયાર ન કરી શકાય.