ભારતીય પૂર્વ વિકેટકીપર અને ક્રિકેટર નમન ઓઝાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 146 મેચમાં 41.67 ની એવરેજથી 9753 રન બનાવ્યા હતા સાથે જ તેણે 22 સદી અને 55 અડધી સદી પણ ફટકારી હતી.
ટીમ ઇન્ડિયાના આ દિગ્ગજ ક્રિકેટરે લીધી નિવૃત્તિ
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બનાવ્યા છે ઘણા બધા રન
ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં કરી જાહેરાત
ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે સોમવારે સાંજે ઇંદોરના હોલકર સ્ટેડિયમમાં પોતાના નિર્ણય અંગે માહિતી આપી હતી.
આ પ્રસંગે, તે ખૂબ ભાવુક બની ગયો હતો અને તેની આંખમાંથી આંસુ પણ નીકળી ગયા હતા. 37 વર્ષીય વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે હવે તે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીને વધુ ધપાવી શકે તેમ નથી, કમરનો દુખાવો પણ સતત પરેશાન કરી રહ્યો છે, જ્યારે કે હવે પરિવારને સમય આપવો એ સૌથી મોટી પ્રાથમિકતા છે. મહત્વનું છે કે નમન મધ્યપ્રદેશના રતલામ શહેરના નિવાસી છે.
I'm grateful to all who supported me in achieving dream of playing for my country and State - my coaches, trainers, physios and selectors, my captains and teammates, my family and well wishers, and MPCA, BCCI and my IPL teams.
નમન ઓઝા ટેસ્ટ, વનડે અને ટી 20 આમ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂકેલો ખેલાડી છે. ઘરેલુ ક્રિકેટ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સારા પ્રદર્શનના આધારે તેને 2010 માં ટીમ ઈન્ડિયાના ઝિમ્બાબ્વે પ્રવાસ સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરવાની તક મળી. તે પ્રવાસ પછી એક વનડે અને બે ટી -20 રમ્યા બાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેણે વનડેમાં 1 અને બે ટી -20 માં 12 રન બનાવ્યા હતા. જો કે ચાર વર્ષ પછી, ઈન્ડિયા Aના ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર સતત બે ડબલ સેન્ચ્યુરી ફટકાર્યા બાદ, તેને 2015 માં શ્રીલંકાના ભારત પ્રવાસ પર ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી. જો કે, આ તેની પ્રથમ અને એકમાત્ર ટેસ્ટ સાબિત થઈ હતી, તેણે ટેસ્ટમાં 56 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ચાર કેચ પણ લપકયા હતા.
I would like to announce my retirement from international and BCCI/MPCA domestic first-class cricket. After 20 years in first-class cricket and many more during the junior competitions, I feel it's time for me to move on. It was a long journey and wonderful phase of my life.
રણજી ટ્રોફીમાં વિકેટની પાછળ સૌથી વધુ શિકાર કર્યા છે.
મહેન્દ્રસિંહ ધોનીની ટીમમા એન્ટ્રી પછી આ વિકેટકિપર બેટ્સમેનને ફરીથી ટીમમાં તક મળી શકી નહીં. ઓઝાએ 17 વર્ષની ઉંમરે મધ્યપ્રદેશ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે બે દાયકાથી ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી સફળ વિકેટકીપર બેટ્સમેન રહ્યો હતો. ઓપનિંગની સાથે જ કોઈ પણ સ્થાન પર સમી શકવાની ક્ષમતાના આધારે જ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હતા.
If given an opportunity, shall continue to play cricket abroad. A big thank to all who helped me reach my goals.
મહત્વનું છે કે ઓઝા એ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 146 મેચમાં 41.67 ની એવરેજથી 9753 રન બનાવ્યા હતા. તેણે 22 સદી અને 55 અડધી સદી પણ ફટકારી હતી. આ સિવાય તેણે વિકેટની વચ્ચે 471 શિકાર કર્યા હતા, સાથે જ 417 કેચ અને 54 સ્ટમ્પિંગ્સ પણ કર્યા છે.આ ઉપરાંત તેણે રણજી ટ્રોફીમાં પણ 351નો શિકાર કર્યો હતો. જે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ છે.
નમન ઓઝા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમતા જોવા મળ્યા છે. તે આઈપીએલનો ખિતાબ જીતનાર સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના પ્લેયર તરીકે પણ સામેલ હતા, આ સિવાય દિલ્હી અને રાજસ્થાનની ફ્રેન્ચાઇઝી માટે પણ રમી ચૂક્યા છે.