ભારતીય ક્રિકેટ જગતમાંથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર સદાશિવ રાવે દુનિયાને અલવિદા કહી દીધું છે. પૂર્વ ક્રિકેટર સદાશિવ રાવજી પાટિલનું મંગળવારે કોલ્હાપુર સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થઈ ગયું. તેઓ 86 વર્ષના હતા અને તેમના પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ છે.
ક્રિકેટ જગતમાં શોક
પૂર્વ ક્રિકેટર પાટીલે દુનિયાને કહી દીધું અલવિદા
પૂર્વ ક્રિકેટર સદાશિવ રાવજી પાટિલનું મંગળવારે નિધન થઈ ગયું
કોલ્હાપુર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધિકારી રમેશ કદમે પીટીઆઈને જણાવ્યું કે પાટિલનું મંગળવારે વહેલી સવારે કોલ્હાપુરના રુઈકર કોલોની સ્થિત નિવાસસ્થાને ઊંઘમાં અવસાન થઈ ગયું.
ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર પાટિલે માત્ર એક જ ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તે એક મેચમાં તેમણે પોતાની બોલિંગનો કમાલ દેખાડયો હતો. જોકે, બાદમાં તેમને તક મળી શકી નહીં.
એક ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું
સદાશિવે 1955માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ મેચમાં તેમણે 51 રન આપીને બે વિકેટ ઝડપી હતી અને આ મેચની બંને ઇનિંગ્સમાં ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ ખેલાડી જોન રેડ શિકાર બન્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં સદાશિવ 39 રનમાં જોનને આઉટ કર્યો હતો અને બીજી ઇનિંગમાં 4 રન બનાવીને કેચ આઉટ કરાવી દીધો હતો.
પાટિલે 1952-1964 ની વચ્ચે 36 પ્રથમ વર્ગની મેચોમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં તેમણે 3 અર્ધસદી સહિત કુલ 866 રન બનાવ્યા હતા, જ્યારે કુલ 83 વિકેટ લીધી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનું શ્રેષ્ઠ બોલિંગ 38 રનમાં પાંચ વિકેટ હતું. જેમાં 3 વખત તેઓ 5 વિકેટની ક્લબમાં સામેલ થયા હતા.