આમ્રપાલી ગ્રુપ વિવાદમાં એકવાર ફરી એમએસ ધોનીનું નામ સામે આવ્યું છે. એમએસ ધોની વિરુદ્ધ આમ્રપાલી કેસમાં FIR નોંધવામાં આવી છે. 27 નવેમ્બરે દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા નવી એફઆઇઆર નોંધવામાં આવી છે, જેમા એમએસ ધોનીનું નામ પણ છે. વર્ષ 2003માં બનેલા આમ્રપાલી ગ્રુપ ( Amrapali Case ) પર લોકો પાસેથી પૈસા લઇને ઘર નહીં આપવાનો આરોપ છે.
આમ્રપાલી ગ્રુપ વિવાદમાં એકવાર ફરી એમએસ ધોનીનું નામ સામે આવ્યું
આમ્રપાલી ગ્રુપ પર લોકો પાસેથી પૈસા લઇને ઘર નહીં આપવાનો આરોપ છે
કંપની પર આરોપ છે કે લોકો પાસેથી 2647 કરોડ રૂપિયા જમા કરી બીજા પ્રોજેક્ટ્સમાં લગાવ્યા
કંપની પર આરોપ છે કે તેણે 42 હજારથી વધારે ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી કરી. આમ્રપાલી ગ્રુપે લોકો પાસેથી 2647 કરોડ રૂપિયા જમા કરી બીજા પ્રોજેક્ટ્સમાં લગાવ્યા, ત્યારબાદ તમામ હાઉસિંગ પ્રોજેક્ટ્સ અધૂરા છોડી દીધા. નોંધનીય છે કે, એમએસ ધોની આમ્રપાલી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર હતા અને આ કારણે તેઓ આ મામલામાં ફસાયા છે.
નવી FIRમાં ધોની પર લગાવાયા છે આ આરોપ
આઉટલુક ઇન્ડિયાના સમાચાર મુજબ, 27 નવેમ્બરે નોંધવામાં આવેલી એફઆઇઆરમાં એમએસ ધોની (MS Dhoni) પર ઘર ખરીદનારાઓએ આરોપ લગાવ્યો છે. તેમા લખવામાં આવ્યું છે કે, ધોની આ ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર હતા અને તેઓએ આમ્રપાલીને પ્રમોટ કર્યું છ. ભારતમાં ધોનીની ઇમેજ જોતા લોકોએ આમ્રપાલી ગ્રુપ પર વિશ્વાસ મુક્યો, તેથી આ કેસમાં ધોનીનું નામ પણ આરોપીઓની લિસ્ટમાં હોવું જોઇએ.
નવી એફઆઇઆર નોંધાવનાર એક ફરિયાદી મુજબ, આમ્રપાલીના માલિક અનિલ કે શર્મા અને બીજા ડાયરેક્ટર આ મામલામાં આરોપી છે પરંતુ તપાસ ટીમોને આ મામલામાં ધોનીના રોલની પણ તપાસ કરવી જોઇએ અને તેઓને પણ આ મામલામાં આરોપી બનાવા જોઇએ. હાલ મહેન્દ્રસિંહ ધોની ટીમ ઇન્ડિયાથી બહાર છે.
પત્ની સાક્ષી પણ ફસાઇ છે વિવાદમાં
નોંધનીય છે કે, આમ્રપાલી ગ્રુપ મામલામાં જુલાઇમાં થયેલી એક સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એક ઓડિટ રિપોર્ટ રજુ કરાઇ હતી. આ રિપોર્ટ અનુસાર, એમએસ ધોનીની પત્ની સાક્ષી કંપનીના 25 ટકા શેયરોની માલિક હતી. સરકારી આંકડાઓ મુજબ સપ્ટેમ્બર 2014 સુધી આવી જ સ્થિતિ હતી. હવે એકવાર ફરીથી આ મામલામાં ધોનીનું નામ સામે આવ્યું છે.