બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ (Bangladesh Cricket Team)ને મોટો ઝટકો લાગ્યો છે. આઇસીસીએ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan) પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. શાકિબ પર આ પ્રતિબંધ મેચ ફિક્સિંગની ઓફર મળવાની વાત છુપાવવા પર લગાવાયો છે.
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર બે વર્ષનો પ્રતિબંધ
શાકિબ પર આ પ્રતિબંધ મેચ ફિક્સિંગની ઓફરની વાત છુપાવવા પર લગાવાયો
બાંગ્લાદેશના ટેસ્ટ અને ટી-20ના કેપ્ટન શાકિબ અલ હસને આઇસીસીની એન્ટી કરપ્શન યૂનિટ (ICC Anti Corruption Unit) ના ત્રણ નિયમોનું ઉલ્લંઘન કરવાની વાત સ્વીકારી છે. જે બાદ તેમના પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
શાકિબ અલ હસન હાલમાં જ પૂર્ણ થયેલ આઇસીસી વર્લ્ડ કપ 2019 (ICC World Cup 2019)માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનની લિસ્ટમાં ત્રીજા નંબર પર હતા. જોકે, આઇસીસીએ શાકિબ પર લગાવેલા બે વર્ષના પ્રતિબંધમાંથી એક વર્ષ નિલંબન અવધિમાં રાખ્યું છે. તેથી તે 29 ઓક્ટોબર 2019થી ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકશે.
શાકિબને ગત વર્ષે મળી હતી ઓફર
શાકિબ અલ હસન પર જે મામલાને લઇને કાર્યવાહી કરવામાં આવી છે. તે ગત વર્ષની છે. એ સમયે એક મેચ પહેલા બુકીએ શાકિબનો સંપર્ક સાધ્યો હતો. નિયમો હેઠળ આ પ્રકારની કોઇપણ ઓફર મળ્યા બાદ તાત્કાલિક ખેલાડીએ આઇસીસીને સૂચના આપવાની હોય છે, પરંતુ શાકિબે એવું કર્યું નહોતુ. એવુ મનાઇ રહ્યું છે કે બાગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને આ વાત જાણી જોઈને છુપાવી હતી.
સમાચારો મુજબ, શાકિબે આઇસીસી (ICC)થી મેચ ફિક્સિંગ (Match Fixing) ની ઓફર મળવાની વાત છુપાવી, તેની જાણ રમતની મોટી સંસ્થા એન્ટી કરપ્શન યૂનિટને લાગી ગઇ હતી. ત્યારબાદ આઇસીસીની એન્ટી કરપ્શન યૂનિટે શાકિબ સાથે વાત કરી. આ દરમિયાન શાકિબે ખુદ પર લાગેલા આરોપોનો સ્વીકાર કર્યો છે. જોકે, પોતાનો પક્ષ રજૂ કરતા શાકિબે કહ્યું કે તેમણે બુકીની વાતોને ગંભીરતાથી લીધી નહોતી, તેથી આ વાત આઇસીસીને ન જણાવી.
શાકિબ પર લાગ્યા છે આ આરોપ
આર્ટિકલ 2.4.4 હેઠળ જાન્યુઆરી 2018માં બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે થયેલી ત્રિકોણીય ટી-20 સીરીઝ અને IPL 2018 દરમિયાન કોઇપણ પ્રકારના ભ્રષ્ટાચારમાં સામેલ થવા માટે મળેલ પ્રસ્તાવની જાણકારી આઇસીસીની એન્ટી કરપ્શન યૂનિટને ન આપવી. જાન્યુઆરી 2018માં જ ઉપરોક્ત ત્રિકોણીય સીરીઝ દરમિયાન બીજી વાર ભ્રષ્ટાચારમાં સામેલ થવા માટે મળેલ ઓફરની પૂર્ણ માહિતી આઇસીસી એન્ટી કરપ્શન યૂનિટથી છુપાવવી. તથા 26 એપ્રિલ 2018 એ સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે યોજાયેલ મેચમાં ભ્રષ્ટાચારમાં સામેલ થવા માટે મળેલા પ્રસ્તાવની જાણકારી આઇસીસીની એન્ટી કરપ્શન યૂનિટને ન આપવી. આ બંને મામલામાં શાકિબે દીપક અગ્રવાલ નામના શંકાસ્પદ બુકી સાથે લાંબી વાતચીત કરી હતી.
નોંધનીય છે કે, ક્રિકેટ રમવા પર બે વર્ષના પ્રતિબંધને પગલે હવે આ વાત લગભગ નક્કી થઇ ગઇ છે કે શાકિબ ભારત પ્રવાસે નહીં આવે. જ્યાં ટીમને ત્રણ ટી-20 મેચ અને બે ટેસ્ટ મેચ રમવાની છે.