અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધી 12,857 લોકોના મોત નિપજયા છે જેમાંથી ન્યૂયોર્કમાં જ 5489 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં હવે મૃતદેહોને દફનાવવા માટે કબ્રસ્તાનમાં જગ્યા નથી. ત્યારે મેડિકલ પરીક્ષણ ઓફિસની બહાર અસ્થાયી કબ્રસ્તાન બનાવ્યું છે. ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં સૌથી વધારે ભારતીયો કોરોનાગ્રસ્ત છે.
અમેરિકામાં કોરોનાથી મરનારાની સંખ્યા 12,857 છે
ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં મોટી સંખ્યામાં ભારતીય કોરોના ગ્રસ્ત
ન્યૂયોર્ક અમેરિકામાં કોરોનાનું એપીસેન્ટર, અહીં 1 લાખ કરતા વધારે કેસ, 5489ના મોત
મેડિકલ પરીક્ષણ ઓફિસની બહાર અસ્થાયી કબ્રસ્તાન
‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ ન્યૂયોર્ક શહેરમા મુખ્ય મેડિકલ પરીક્ષણ ઓફિસની બહાર એક કબ્રસ્તાન તૈયાર કરવામાં આવ્યું છે. આ કબ્રસ્તાન અસ્થાયી છે. આ અંગે વાત કરતા શહેરના મેયર બિલ ડી બ્લાસિયોએ જણાવ્યું હતું કે વાઈરસ ફેલાવાને લીધે કબ્રસ્તાનની ક્ષમતા ઓછી થઈ જાય છે. અધિકારીઓ મૃતદેહોને જાહેર સ્થળોએ અસ્થાયી રીતે દફનાવવા પર કામ કરી રહ્યા છે. જ્યારે પરિસ્થિતિ થાળે પડશે તો યોગ્ય સ્થળે દફનાવાશે.’
ન્યૂયોર્ક સિટીમાં 3 મહિનાનું ભાડું સરકાર આપી રહી છે
‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલમાં આઇટી પ્રોફેશનલ અર્પિત જણાવે છે કે ન્યૂયોર્કમાં મકાન માલિક ભાડુઆતને કાઢી મુકી શકે નહી. તેમજ 3 મહિનાનું ભાડું સરકાર આપશે. સાથે સાથે વાર્ષિક 1 લાખ ડોલર ( આશરે 75 લાખ રૂપિયા) કમાનારાને સરકાર 1200 ડોલર (90 હજાર રૂપિયા), પરિણીત લોકોને 1.8 લાખ રૂપિયા અને એક બાળક હોય તો વધારાના 35 હજાર રૂપિયા ખાતામાં આપી રહી છે. ઘરવિહોણા મજૂરોના ખાતામાં 3000 ડોલર (2.2 લાખ રૂપિયા) આપવામાં આવી રહ્યા છે.
રિપબ્લિકન રાજ્યોમાં હજુ લૉકડાઉન કરવામાં આવ્યુ નથી. લોકો ઈસ્ટરની તૈયારી કરી રહ્યા છે.
હોસ્પિટલમાં ફોન કર્યો તો જવાબ મળ્યો કે
ન્યૂયોર્કના પત્રકાર -લેખક મુહમ્મદ અલીએ જણાવ્યું કે અમેરિકી સરકારે આને ગંભીરતાથી લીધું નથી. મારા એક મિત્રને છાતીમાં દુ:ખાવો થતા તેણે હોસ્પિટલમાં ફોન કર્યો તો જવાબ મળ્યો કે ઈન્ફેક્શન ફેલાયેલું છે ઘરે રહી સારવાર કરો.
આ અંગોને કોઈ ડેટા ઉપલબ્ધ નથી
‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ મોટી સંખ્યામાં અહીં ભારતીયો સંક્રમિત છે. જેમાંથી ઘણાના મોત પણ નિપજ્યા છે. તેમાં કેટલાક ભારતીય અમેરિકી પણ સંક્રમિત છે. નોંધનીય છે કે આ અંગોને કોઈ ડેટા ઉપલબ્ધ નથી.
દિગ્ગજ ભારતીય અમેરિકી પત્રકાર બ્રહ્મ કુચિભાટલાનું પણ નિધન
અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI)ના પૂર્વ અધ્યક્ષ સહિત ઘણા લોકો મેડિકલ સંસ્થાનોમાં દાખલ છે. દિગ્ગજ ભારતીય અમેરિકી પત્રકાર બ્રહ્મ કુચિભાટલાનું પણ નિધન થયું છે. કોરોના વાયરસ માટે હેલ્પલાઇન ચલાવી રહેલી ‘સેવા ઇન્ટરનેશનલ’સંસ્થાના જણાવ્યાનુંસાર મદદ માટે ઘણા ફોન આવી રહ્યા છે.
રાત દિવસ ધમધમતુ આકર્ષિત શહેર ન્યૂયોર્કમાં ભેંકાર
ભારતીય અમેરિકીઓએ હ્યુસ્ટનનાં આઇટી પ્રોફેશનલ રોહન બાવડેકરની મદદ માટે 15 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. કેમ કે રોહન, તેમની પત્ની અને 3 બાળકો કોરોના ગ્રસ્ત છે. રોહન વેન્ટિલેટર પર છે. બીજી તરફ ઉત્તર અમેરિકામાં ફેડરેશન ઓફ કેરળ એસોસિએશને પણ જણાવ્યું હતું કે અમારા સમુદાયમાંથી 4ના મોત નિપજ્યા છે. કોરોનાને લીધે અહીના ભારતીઓનું મોરલ તુટી ગયું છે. ન્યૂયોર્કની એક સ્કુલમાં ફોટો અને વીડિયોગ્રાફી શીખવતા ફોટોગ્રાફર સ્પદીતા મલીક જણાવ્યુ હતું કે, ‘24 કલાક અને સાતેય દિવસ ધમધમનું આ શહેર ક્યારે સુતુ નહોતુ. આજે અહીં ભેંકાર ભાંખી રહ્યો છે. આઈટી કંપનીના કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. જે લોકો પીજીમાં રહેતા મિત્રોના જવાથી એકલા પડી ગયા છે. તે ડિપ્રેશનનો શિકાર થયા છે. ઘણાની નોકરી જતી રહી છે. ટીવી જોવાનું પણ બંધ કરી દીધુ છે. સોશિયલ મીડિયા પણ જોતા નથી. મારી રુમ પાર્ટનર ચીનના વુહાનની છે તે પોતાના પરિવારની ચિંતામાં ગરકાવ છે. તેને જોઈને અમને ડિપ્રેશન આવે છે.’
જે આંકડા બતાવાય છે તે સાચા નથી
આઇટી પ્રોફેશનલ અર્પિત વર્મા કહે છે કે ઘરેથી હોમ કરી રહ્યાં છે. ન્યૂયોર્કમાં કોરોના ગ્રસ્તના આંકડા બતાવવામાં આવી રહ્યા છે વાસ્તવિક નથી. આંકડા આનાથી ઘણા વધારે છે. કોરોના ટેસ્ટ માત્ર 50 વર્ષથી વધારે ઉંમરના કે જેમને કેન્સર, લિવર, કિડની જેવી બીમારી હોય, છીંક- તાવ , ગળામાં દુખાવો કે પછી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનાર અને તેમને 20 મિનિટ મળનારા લોકોના જ કરાય છે. કોઈ હેલ્પલાઈન પર લક્ષણો જણાવે તો તેમને માત્ર ક્વોરન્ટાઈન રહેવાની સલાહ અપાય છે. કોઈ રસ્તા પરથી પસાર થાય તો પણ લોકોને એવું લાગે છે કે તેમને કોરોના થઈ જશે. એટલો ભય છે.’