બક્સર જિલ્લાના ચૌસાની પાસે ગંગા નદીમાં તરતા 71 મૃતદેહો મળી આવ્યા.
ચૌસાની પાસે ગંગા નદીમાં તરતા 71 મૃતદેહો મળ્યા
71 લાશોનો અંતિમ સંસ્કાર પ્રોટોકોલ મુજબ કરી દેવાયો
અહીં સુરક્ષા વધારી દેવામાં આવી
ચૌસાની પાસે ગંગા નદીમાં તરતા 71 મૃતદેહો મળ્યા
બિહાર સરકારે મંગળવારે કહ્યુ બક્સર જિલ્લાના ચૌસાની પાસે ગંગા નદીમાં તરતા 71 મૃતદેહો મળી આવ્યા છે. જેમના પ્રોટોકોલની સાથે અંતિમ સંસ્કાર કરી દેવાયા. સરકારનો દાવો છે કે આ તમામ મૃતદેહો ઉત્તર પ્રદેશથી વહીને આવે છે. બિહારમાં નીતિશ કુમાર મંત્રિમંડળમાં સામેલ રાજ્યના જળ સંસાધન મંત્રી સંજય કુમાર ઝાએ મંગળવારે પોતાના સત્તાવાર ટ્વિટર હૈન્ડલથી ટ્વીટ કરી લખ્યુ કે બિહાર સરકારે બક્સર જિલ્લાથી ચૌસાની નજીક ગંગા નદીમાં વહેતા મૃતદેહોની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો મામલામાં સંજ્ઞાન લીધી છે. આ મૃતદેહો ઉત્તર પ્રદેશથી વહીને બિહાર આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરે પુષ્ટિ કરી તે આ તમામ લાશો 4-5 દિવસ જૂની છે.
71 લાશોનો અંતિમ સંસ્કાર પ્રોટોકોલ મુજબ કરી દેવાયો
નીતિશ કુમારના નજીક મનાઈ રહેલા ઝાએ એક અન્ય ટ્વીટમાં લખ્યું કે મળેલી 71 લાશોનો અંતિમ સંસ્કાર પ્રોટોકોલ મુજબ કરી દેવામાં આવ્યો છે. યુપીની સીમા પર રાનીઘાટમાં ગંગા નદીમાં જાળી લગાવી દેવામાં આવી છે. અમે લોકો યુપી પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે તે એલર્ટ રહે અને બક્સર જિલ્લા પ્રશાસન પણ એલર્ટ રહે. અમે તમામને સલાહ આપી છે કે મૃત વ્યક્તિ અને ગંગામાંને પૂરુ સન્માન આપો. આ ઘટનાથી બિહારના સીએમ નીતિશ કુમાર દુઃખ વ્યક્ત કરે છે.
અહીં સુરક્ષા વધારી દેવામાં આવી
મંત્રી ઝાએ એક અન્ય ટ્વીટમાં આ અંગેની જાણકારી આપતા કહ્યુ કે મુખ્યમંત્રી નીતિશ કુમાર આ ઘટના અને ગંગા નદીને પહોંચેલા નુકસાનથી દુઃખી છે. ખાસ કરીને તે નદીની શુદ્ધતા અને નિરંતર પ્રવાહને લઈને ચિન્તિત રહ્યા છે. તેમણે પ્રશાસને નિર્દેશ આપ્યા છે કે ક્ષેત્રમાં સુરક્ષા હજુ વધારવામાં આવે. જે અંતર્ગત ફરી આવી ઘટના ન બને. ઉલ્લેખનીય છે કે સોમવારે બક્સરના ચૌસામાં ગંગા નદીમાં અનેક લાશો તરતી જોવા મળી હતી. આ બાદ અહીં સુરક્ષા વધારી દેવામાં આવી છે.