ઘરમાં પૈસાનો વરસાદ કરી દેશે આ છોડ જાણો કેવી રીતે કરે છે કામ
વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઇ ઘમાં સુખ શાંતિ અને ધનસંપત્તિ માટે ઝાડ છોડને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. પ્લાન્ટ 'ક્રાસૂલા' પણ એનું એક ઉદાહરણ છે. એના માટે માન્યતા છે કે એને ઘરમાં લગાવવાથી રૂપિયાની આવક વધી જાય છે અને તણાવથી મુક્તિની સાથે માનસિક શાંતિ પણ મળે છે. એને જેડ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે.
સાઉથ આફ્રિકા અને મોજાંબિકમાં મળી આવેલો આ પ્લાન્ટ ઓછી સારસંભાળના કારણે મોટાભાગના ઘરમાં જોવા મળે છે. ક્રાસૂલા ઇન્ડોર પ્લાન્ટ છે અને આ પ્લાન્ટને દરરોજ પાણી અને તડકાની જરૂર પડતી નથી. આ એક ફેલાતો છોડ છે જેના પાન પહોળા હોય છે. નાના કુંડામાં પણ લગાવવામાં આવે છે. ફેંગશુઇ પ્રમાણે એને ઘરના મેન દરવાજા પર રાખવો જોઇએ.
એક પ્લાન્ટના 6 ફાયદા
ફેંગશુઇ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ધન પ્રાપ્તિ અને સુખ સમૃદ્ધિ માટે આ છોડ હજાર ગણો લાભદાયક છે.
આ પ્લાન્ટને ઘરમાં લગાવવાથી માનસિક બીમારીઓ દૂર થાય છે. સાથે મેન્ટલ એબિલિટી અને કોન્સ્ટ્રેશન વધે છે. આ કોઇ પણ માણસની પ્રોડક્ટિવિટી 15 ટકા સુધી વધારી શકે છે.
એક અભ્યાસ પ્રમાણે ઘરમાં લગાવવામાં આવેલા આ પ્રકારના પ્લાન્ટથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ હેલ્થ પણ બની રહે છે.
આ પ્લાન્ટ લગાવવાથી રૂમની ઊર્જા સ્તરમાં વધારો તો થાય છે. સાથે જ ક્રિએટીવિટી અને કામ કરવાની ક્ષમતામાં પણ વધારો જોવા મળે છે.
રિસર્ચ અનુસાર ઘરની અંદરા લાગેલા આ પ્લાન્ટથી સંબંધોમાં મીઠાશ વધે છે. ક્રાસૂલામાં લાગેલા સફેદ રંગના ફૂલ જોનારાના મનમાં સકારાત્મકતા અને પ્રેમ ભાવનાને વધારે છે.
એક સંશોધન અનુસાર ક્રાસૂલા અથવા એ જ પ્રકારના બીજા ઇન્ડોર પ્લાન્ટ લગાવવાથી તણાવનું લેવલ ઓછું થાય છે એટલા માટે ઓફિસમાં આ પ્રકારના પ્લાન્ટ લગાવવા જોઇએ.