રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના નેતા વીએમ સિંહે આજે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
દિલ્હીમાં ગઈકાલે પ્રજાસત્તાક દિવસની ખેડૂતોની ટ્રેકટર પરેડમાં હિંસા થયા બાદ દિલ્હી પોલીસ તંત્ર દ્વારા આજે એક્શન લેવામાં આવી હતી અને લગભગ 93 લોકોની ધરપકડ કરવામાં આવી છે, સાથ જ 9 ખેડૂત નેતાઓની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ સાથે જ ભારતીય કિસાન યુનિયન (ભાનુ) પણ આંદોલનથી અલગ થયું છે.
I have nothing to do with the protest which is being led by them and over here being represented by Rakesh Tikait on their behalf: Sardar VM Singh, Rashtriya Kisan Mazdoor Sangathan https://t.co/CYKZoH9y4y
નોંધનીય છે કે આજે કિસાન આંદોલનમાં સામેલ સંગઠન રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના નેતા વીએમ સિંહે આજે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પાર ગંભીર આરોપો મૂક્યા હતા અને કહ્યું હતું કે અમે અમારા લોકોને શહીદ કરાવવા માટે નથી આવ્યા અને આવી રીતે આંદોલન ન ચાલી શકે, માટે અમે અને અમારું સંગઠન આ આંદોલનથી અલગ થઇ રહ્યું છે.
This is the decision of Rashtriya Kisan Mazdoor Sangathan & not of AIKSCC (All India Kisan Sangharsh Coordination Committee). This is the decision of VM Singh, Rashtriya Kisan Mazdoor Sangathan & all office bearers: VM Singh, National Convener of Rashtriya Kisan Mazdoor Sangathan pic.twitter.com/dTtW45ZMXL
અમે અહીં લોકોને શહીદ કરાવવા કે માર ખવડાવવા માટે નથી આવ્યા
એમની સાથે ન જઈ શકીએ જેમની દિશા અલગ હોય
રાકેશ ટિકૈતે એકવાર પણ શેરડીના ખેડૂતોની વાત ન ઉઠાવી
રાકેશ ટિકૈતે ધાન ખરીફનો મુદ્દો પણ ન ઉઠાવ્યો
અમે અહીંથી સપોર્ટ કરીએ અને ત્યાં કોઈ બીજું જ નેતા બની રહે તે મંજૂર નથી
અમે અહીં એટલા માટે નથી કે દેશ અને 26 જાન્યુઆરી પપર બધાને બદનામ કરી શકીએ
FIRમાં ભારતીય ખેડૂત યુનિયન પ્રવક્તા રાકેશ ટિકૈતનું પણ નામ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવની વિરુદ્ધ પણ દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના અનુસાર દિલ્હી પોલીસની એફઆઈઆરમાં ખેડૂત ટ્રેક્ટર રેલી અંગેની એનઓસીનું ઉલંઘન માટે ખેડૂત નેતા દર્શન પાલ, રાજિંદર સિંહ, બલવીર સિંહ રાજેવાલ, બુટા સિંહ બુર્જિલ અને જોગિંદર સિંહ ઉગ્રાહાના નામનો ઉલ્લેખ છે. FIRમાં ભારતીય ખેડૂત યુનિયન પ્રવક્તા રાકેશ ટિકૈતનું નામ પણ છે. જો કે આ FIR કઈ કલમો અંતર્ગત દાખલ કરવામાં આવી છે તે અંગે જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી માહિતી મળી શકી નથી.
200 લોકોની કરી ધરપકડ
બીજી તરફ દિલ્હી પોલીસે શહેરમાં ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસક ઘટનાના સંદર્ભમાં 200 લોકોની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસે કહ્યું કે જલ્દી બાકીનાની પણ ધરપકડ કરાશે. તેમજ દિલ્હી વેસ્ટર્ન ઝોનમાં 93 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ મામલામાં તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે.
We came for MSP, not hooliganism. Action must be taken against those who took different route. It was shameful. We'll have to see how to go ahead with those who want to break agitation. Press conference at 4 pm: Sardar VM Singh, All India Kisan Sangharsh Coordination Committee pic.twitter.com/fXm8dJwJuc
આ પહેલા બુધવારે દિલ્હી પોલીસે હિંસાને લઈને IPCની ધારા 395 (ડકૈતી), 397 (ડકેતી, ચોરી અથવા કોઈ વસ્તુને નુકસાન પહોંચાડવાની ઈસ્છાથી હુમલો કરવો), 120 બી (ગુનાના ષડયંત્રની સજા) અને અન્ય ધારાઓ અંતર્ગત એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન દિલ્હીમાં લાલ કિલ્લા પર થયેલી હિંસાના સંબંધમાં FIR નોંધવામાં આવી છે. આ મામલામાં તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે.
લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ લગાવ્યો
ટ્રેકટર રેલી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ હિંસા ભડકાવી હતી. તેમજ પોલીસ સાથે અથડામણ થઈ હતી. તોફાની તત્વોએ લાલ કિલ્લા પર એક ધાર્મિક ધ્વજ લગાવ્યો હતો.
#WATCH | Protesters agitating against the farm laws, repeatedly ram their tractors into a Delhi Police vehicle overturning it, during yesterday's violence in Delhi (26.1.2021)
અનેક સીસીટીવી ફુટેજ તથા તમામ વીડિયોને તપાસવામાં આવી રહ્યા
ઈન્ચાર્જ પીઆરઓ( દિલ્હી પોલીસ) અનિલ મિત્તલે જણાવ્યું કે મંગળવારે થયેલી હિંસાના મામલામાં અત્યાર સુધી 22 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે હિંસામાં 300થી વધારે પોલીસકર્મી ઘાયલ થયા છે. અધિકારીએ જણાવ્યું કે મંગળવારે થયેલી હિંસામાં સામેલ લોકોની ઓળખ કરવા માટે અનેક સીસીટીવી ફુટેજ તથા તમામ વીડિયોને તપાસવામાં આવી રહ્યા છે અને ગુનેગારોની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાનીમાં અનેક સ્થળો પર સુરક્ષાને મજબૂત કરવામાં આવી છે. ખાસ કરીને લાલ કિલ્લા અને ખેડૂતોના પ્રદર્શન સ્થળો પર અતિરિક્ત અર્ધ સૈનિક દળોને તૈનાત કરવમાં આવ્યા છે.