વિધાનસભાની ચૂંટણી મુદ્દે પણ સી આર પાટીલે નિવેદન આપતા કહ્યું છે કે ચૂંટણી સમયસર થશે
અલ્પેશ ઠાકોરની રેલી મુદ્દે CR પાટીલનુ નિવેદન
સારી રેલી કરી છે તેમને અભિનંદન
ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયસર થશે
અલ્પેશ ઠાકોરની રેલી મુદ્દે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નિવેદન કર્યુ છે. જેમાં તેમણે જણાવ્યુ હતું કે અલ્પેશ ઠાકોરે સારી રેલી કરી છે , તે માટે તેમણે અલ્પેશને અભિનંદન પણ પાઠવ્યા હતાં. તેમજ જણાવ્યુ હતું કે રાજકીય રીતે તાકાતનું પ્રદર્શન કરવું કંઈ ખોટું નથી.
ગઈ કાલે અલ્પેશ ઠાકોરે કર્યું હતું શક્તિ પ્રદર્શન
બનાસકાંઠા જિલ્લામાં ગઈ કાલે ફરી એકવાર ઠાકોર સેનાના નેતા અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જન્મ દિવસ નિમિત્તે આત્મદર્શન પદયાત્રા યોજી હતી. દિયોદરના ઓગડથળી થી નીકળેલી પદયાત્રા 30 કિલોમીટર સુધી ચાલ્યા બાદ ટોટાણા સદારામ બાપુના નિવાસ્થાને પૂર્ણ કરી હતી આ પદયાત્રામાં અલ્પેશ ઠાકોરની સાથે હજારો લોકો જોડાય હતા. રાજકીય ક્ષેત્રમાં ટોચ પર પહોંચવાની મહત્વાકાંક્ષા એ નીકળેલા અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ અને પેટા ચૂંટણી માં હાર્યા બાદ રાજકારણ માં તેમનું વર્ચસ્વ ઘટી રહ્યું છે ત્યારે હવે આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે અલ્પેશ ઠાકોર દ્વારા શક્તિ પ્રદર્શનરૂપી પદયાત્રાનું આયોજન કરાયું હતું. જે બાદ સી આર પાટીલે કહ્યું હતું છે કે રાજકીય રીતે તાકાતનું પ્રદર્શન કરવું કંઈ ખોટું નથી.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલએ નિવેદન આપ્યું છે....ગાંધીનગર ખાતે સી. આર. પાટીલે નિવેદન આપતા કહ્યું કે વિધાનસભાની ચૂંટણી સમય સર કરવામાં આવશે