ગુજરાત ચૂંટણીને લઈ પ્રદેસ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જયા તેઑએ સ્થાનિક આગેવાનો સાથે મિટિંગ કરી હતી.
ગુજરાત ચૂંટણીને લઈ સી.આર. પાટીલ ભાવનગરની મુલાકાતે
પાટીદાર સમાજને લઈ પાટીલનું નીવેદન
કોઈ સમાજ ભાજપથી નારાજ નથી: સી.આર. પાટીલ
વિધાનસભા ચૂંટણીના મતદાનેને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં ભાવનગરમાં સી.આર પાટીલે અચાનક મુલાકાત લીધી હતી. સાથે જ ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે ખાનગી હોટલ ખાતે બેઠક કરી હતી. જ્યાં કાર્યકતાઑને ચુંટણીલક્ષી માહતી આપી હતી. મહત્વનું છે કે બે દિવસ અગાઉ સી. આર. પાટીલ મોરબીની મુલાકાતે ગયા હતા.
કોઈ સમાજ આ વખતે નારાજ નથી: પાટીલ
આ મુલાકાત દરમિયાન સી.આર પાટીલે પાટીદાર સમાજની નારાજગી અંગે જણાવ્યું હતું કે કોઈ આ ચુંટણીમાં સમાજ ભાજપથી નારાજ નથી, વધુમાં પાટીદાર સમાજના તમામ આગેવાનો ભાજપના સમર્થનમાં છે અને પાટીદાર સમાજના તમામ ભાજપના ઉમેદવારો જીતવાના છે તેવો દાવો પણ કર્યો હતો. અન્ય પક્ષો અંગેના નિવેદનમાં સી.આર.પાટીલે ઉમેર્યું હતું કે કોઈ પાર્ટીની નબળાઈ ઉપર ચૂંટણી લડતા નથી અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાસે પાસે જે તાકાત, નિષ્ઠા અને વફાદારી છે તેના ઉપર લડીશું અને ભાવનગરની તમામ બેઠકો પર ભાજપ જીત મેળવશે તેવો દાવો કર્યો હતો.
બે દિવસ અગાઉ સી. આર. પાટીલ મોરબી દોડી ગયા હતા
બે દિવસ અગાઉ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અચાનક જ હેલિકોપ્ટર મારફત મોરબી દોડી ગયા હતા અને ભાજપના ઉમેદવારો અને હોદેદારો સાથે હોટલમાં ખાનગી મીટીંગ કરી હતી. સાંસદ મોહન કુંડારિયા, વિનોદ ચાવડા અને મોરબીના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સહિતના સ્થાનિક આગેવાનોએ તેમનું હેલિપેડ ખાતે સ્વાગત કર્યું હતું. સી.આર.પાટિલના અચાનક જ મોરબી દૌરા અંગે ભાજપ તરફથી કોઈ ઑફિસિયલી જાહેરાત કરવામાં આવી નથી. પાટીલે મોરબી પાસે આવેલી હોટલમાં ભાજપના ચૂંટાયેલા પ્રતીનિધિઓ, ઉમેદવારો અને સ્થાનિક ભાજપના હોદેદારો સાથે ખાનગી મીટીંગ યોજવામાં આવી હતી.