કાર્યકર્તાઓ અધિકારીઓ સાથે સબંધ ન રાખે, પક્ષના હોદ્દેદારો નાના કાર્યકર્તાનું ધ્યાન રાખે
વલસાડમાં અધિકારીઓને લઇ પાટીલનું નિવેદન
"કાર્યકર્તાઓએ અધિકારીઓ સાથે મિત્રતા ન રાખવી"
"અધિકારીઓ સાથે મિત્રતા હોય તો તોડી દો"
વલસાડમાં અધિકારીઓ પર ફરી સી.આર.પાટીલે નિવેદન આપ્યું. વલસાડમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં સી.આર.પાટીલે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓએ અધિકારી સાથે મિત્રતા રાખવી નહીં. અને જો તમારી મિત્રતા અધિકારીઓ પાસે હોય તો તોડી દેજો. અધિકારી કરતા પાર્ટી પદાધિકારીને વધુ મહત્વ આપવું. વધુ માં તેમણે સૂચન આપ્યું હતું કે કોઈ કામ હોય તો હોદ્દેદાર પાસે પહેલા જવું નહીં કે સીધા અધિકારી પાસે, આ દરમિયાન તેમને પક્ષના હોદ્દેદારોને પણ કહ્યું હતું કે નાના કાર્યકર્તાનું ધ્યાન રાખવામાં આવે તેણે પડતી મુશ્કેલીનું ધ્યાન રાખવામાં આવે.
સી.આર. પાટીલે 3 વખત સાંકેતિક નિવેદન આપ્યા 1)
વલસાડ -27-08 - 2021
કાર્યકર્તાઓ અધિકારીઓ સાથે સબંધ ન રાખે, પક્ષના પદાધિકારીઓ સાથે સબંધ રાખે 2)
અમદાવાદ - 25- 08 - 2021
અધિકારીઓ નાના કાર્યકર્તાનું ધ્યાન ન રાખે તો પદાધિકારીઓ કાર્યકર્તાઓનું ધ્યાન રાખે 3)
અમરેલી 23-08-2021
60 વર્ષથી વધુ ઉંમરના નેતાને વિધાનસભામાં ટિકિટ મળશે. વિધાનસભા માટે ઉંમરનો બાધ નથી
વિધાનસભા પહેલા સંગઠન વધુ મજબૂત કરવા પ્રયાસ
આમ સી.આર.પાટીલના સામે આવ્યા અનેક સૂચક નિવેદન સામે આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીના ભણકારા તરીકે સાંકેતિક નિવેદનને જોવાઈ રહ્યા છે. નાના કાર્યકતા અને પક્ષના મોટા હોદ્દેદાર વચ્ચે સુમનવય સધાય તેમજ અધિકારીરાજનો કાર્યકતા ભોગ ન બને તે હેતુસર આ સૂચન કરવામાં આવ્યા હોય તેવું મનાઈ રહ્યું છે. કાર્યકતાઓને અપાતાં પ્રશિક્ષણ વર્ગ દરમિયાન સી આર પાટીલે કાર્યકરોને અધિકારી સાથે સંબંધ ન રાખવા કહ્યું, અને અધિકારીઓ કરતા પક્ષના હોદ્દેદારો સાથે સંબંધ રાખવા પાટીલે અપીલ કરી છે, આ સમયે અમદાવાદમાં નાના કાર્યકરોની વાત તેમને ટાંકી હતી અને કહ્યું હતું કે નાના કાર્યકર્તાના કામ ન થાય તો હોદ્દેદારો વાત ધ્યાનમાં લે. ત્યારે અત્યારથી પાટીલ વિધાનસભાની ચૂંટણીને લઈને સજ્જ દેખાઈ રહ્યા છે અને આગળના સમયમાં હોદ્દેદારો અને કાર્યકતા વચ્ચે ડખો ન પડે તે હેતુથી આ પ્રકારના સૂચક નિવેદન આપી રહ્યા છે.