ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વેક્સિનેશન અને ત્રીજી લહેરની શક્યતાને લઇ નિવેદન આપ્યું છે. નવસારીના સરીબુજરંગ ગામમાં લાભાર્થીઓને યોજનાઓના કાર્ડ વિતરણ કાર્યક્રમ દરમિયાન તેઓએ કહ્યું કે નિષ્ણાંતોના મતે દેશમાં ત્રીજી લહેરની શક્યતા ઓછી છે.
સી.આર.પાટીલ નવસારીની મુલાકાતે
દેશમાં 100 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા છે. ત્યારે વેક્સિનના કારણે કોરોનાની સંભવીત ત્રીજી લહેરની શક્યતા ઓછી જોવાઈ રહી છે અને ત્રીજી લહેર આવશે તો પણ પહેલા જેટલી અસર નહીં કરે વધુમાં સી.આર.પાટીલે કોરોનાને લઇ લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી છે.
કોરોનાને લઇ સાવચેત રહેવાની કરી અપીલ
નવસારીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દેશમાં વેક્સિનના 100 કરોડ ડોઝની કામગીરી પૂર્ણ કરી છે, જેની ઉજવણી પણ સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે હોવાનું જણાવ્યું હતું, મહત્વનું છે કે નવસારીમાં પ્રમુખ સી.આર. પાટીલે અગ્રવાલ કોલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી જેમાં અંતર્ગત 710 દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કર્યું હતું જો કે આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટસિંગ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
અધિકારીઓ દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે તે માટે સહાલ સુચન આપવામાં આવે છે, પરતું અધિકારીઓ પોતે માસ્ક વગર જોવા મળે છે. હવે દિવાળી આવતા દેશના તમામ નાગરિકોને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે અપીલ કરવામા આવી રહી છે, ત્યારે નેતાઓ જ જો માસ્ક ન પહેરે તો સામાન્ય નાગરિકો પાસે શું અપેક્ષા રાખવી તેવી ચર્ચાએ જોર પકડયું છે.