સુરત ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પોતાનું નિવેદન આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં જ્યાં પણ રખડતા પશુને લઈને પરેશાની છે ત્યાં તેનો ઉકેલ લવાશે. રખડતા પશુને લઇ તમામ મહાનગર પાલિકા પાલન કરવા સક્ષણ છે. તેમણે જણાવ્યું હતું કે, હાઈકોર્ટે ઢોર નિયંત્રણ કાયદા વિરુદ્ધ હાઈકોર્ટમાં થયેલી અરજી કોર્ટે ફગાવીને ટકોર કરી હતી કે, રખડતા ઢોર મુદ્દે કહ્યું કે ઢોરની જવાબદારી તેના માલિકની છે. ઢોરને ગમે ત્યાં રખડતા ન મુકી શકાય શહેરી વિસ્તારોમાં ઢોરને રખડતા મુકવા તે યોગ્ય નથી. જેથી ઢોર માટે યોગ્ય જગ્યા રાખવા એ જવાબદારી ઢોર માલિકની છે.
વિધાનસભાના આગામી સત્રમાં કાયદો રદ્દ થશે : પાટીલ
તમને જણાવી દઈએ કે, આ પહેલા સી.આર.પાટીલે રખડતાં ઢોરના કાયદા અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, અગામી વિધાનસભાના સત્રણાં આ કાયદો રદ્દ થશે. તેમણે જણાવ્યું હતું કે, ગાય રાખવા માટે લાયસન્સ લેવું પડે તે યોગ્ય નથી.આ અંગે માલધારી સમજાની લોકોએ અમને રજૂઆત કરી હતી. જે અંગે મેં મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી છે. અને મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રત્યુતર આપ્યો છે.
ઢોર નિયંત્રણ મુદ્દે કોર્ટે શું કહ્યું?
ઢોર નિયંત્રણ વિધેયક મુદ્દે થયેલી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જાહેરહિતની અરજી પર ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું કે પશુની જવાબદારી પશુપાલકની છે. ગૌચરની વૈકલ્પિક જગ્યા આપવાની માંગને પણ કોર્ટે ફગાવી હતી. કૉર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે પોતાના ઢોરની તકેદારી રાખવાની જવાબદારી પશુ માલિકોની છે. ઢોર માટે પૂરતી જગ્યા રાખવાની જવાબદારી પણ ઢોર માલિકની હોય છે.