વડોદરાથી C.R પાટીલે જ્ઞાનવાપી મુદ્દે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, 'ધીમે-ધીમે હવે સત્ય બહાર આવી રહ્યું છે.'
જ્ઞાનવાપી મુદ્દે C.R. પાટીલનું મોટું નિવેદન
દરેક મંદિર પાસેથી મસ્જિદ કેમ નીકળે છે?: પાટીલ
ધીમે-ધીમે હવે સત્ય બહાર આવી રહ્યું છે: પાટીલ
વડોદરામાં સ્વામિનારાયણ મંદિરમાં જ્ઞાન યજ્ઞ સત્સંગ સમારોહ ખાતે આજે C.R પાટીલે હાજરી આપી હતી. જેમાં તેઓએ જ્ઞાનવાપી વિવાદ મામલે મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, 'દરેક મંદિર પાસેથી મસ્જિદ કેમ નીકળે છે? આવું કેમ થાય છે? કેટલાંક તત્વોએ આવું કર્યું છે. ધીમે-ધીમે હવે સત્ય બહાર આવી રહ્યું છે.'
રાજસત્તા અને ધર્મસત્તા આ બંનેની અત્યંત આવશ્યકતા છે
વધુમાં કહ્યું કે, 'કોઇ રાજકારણી ક્યારેય મજબૂત હોતો જ નથી. પરંતુ એની મજબૂતાઇ ત્યારે હોય છે કે જ્યારે તે સંતોના ચરણોમાં નમતો હોય છે. સંતો દ્વારા ચીંધેલા માર્ગ પર એ ચાલે છે અને ત્યારે જ તે લોકોને સારા પરિણામ પણ પણ મળતા હોય છે. એટલાં માટે જ રાજસત્તા અને ધર્મસત્તા આ બંનેની અત્યંત આવશ્યકતા છે. આ બંનેની વચ્ચે સુમેળ હોય, અસર-પરસ વિશ્વાસ હોય.'
એ સિવાય કહ્યું કે, 'સંતોના રક્ષણની જવાબદારી જેમ પહેલાં રાજાઓ રાખતા હતા તેમ આજના સમયમાં તેમની સુરક્ષાની જવાબદારી આજના રાજકારણીઓએ રાખવી જોઇએ. સુરક્ષા એટલે કે એમને બંદૂકની સિક્યોરિટી આપવી એમ નહીં પરંતુ તેમના કાર્યમાં આવતા અડચણને દૂર કરવા. તેમના પથને આગળ વધારવા માટે જે કંઇ કરવું પડે તે બધું જ કરવું. સંતોને સાથ-સહકાર આપી દેશનો વિકાસ કરવો જોઈએ. સંતો યુવાનોમાં સંસ્કારનું સિંચન કરે છે. યુવાનોમાં રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના સંતોના કારણે રહેલી હોય છે. સંતોની ઈચ્છા મુજબ રામ મંદિરનું નિર્માણ શરૂ કર્યુ છે. સર્વસંમતિથી બધાને સાથેની રાખી મંદિરનું નિર્માણ શરુ કર્યુ છે. દેશમાં આજે સંસ્કૃતિના કારણે સંયુક્ત કુટુંબો ટક્યા છે.'