કોંગ્રેસના OBC સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હનુમાન ચાલીસા મામલે નિવેદન આપ્યુ હતુ.આ મામલે ભાજપના સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, હનુમાન ચાલીસા ક્યા ગાવી કે વાંચવી એના માટે જગદીશ ઠાકોર સલાહ આપી શકે છે પરંતુ ફરજ ન પાડી શકે બીજી તરફ ભરતસિંહે રામ મંદિર મુદ્દે કરેલા આરોપોનો પણ વળતો તમમતો જવાબ આપ્યો હતો.
હનુમાન ચાલીસા મામલે કોંગ્રેસ પ્રમુખ સલાહ આપી શકે છે ફરજ ન પાડી શકે: જગદીશ ઠાકોર
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા દરેક જિલ્લાઓમાં વન ડે વન ડિસ્ટ્રીક્ટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આયોજનના ભાગરૂપે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વડોદરાની મુલાકાતે હતા.ત્યાં કાર્યક્રમમાં સી આર પાટીલે હનુમાન ચાલીસા મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજ્યમાં શાંતિ ડહોળવી ન જોઈએ.હનુમાન ચાલીસા ક્યાં વગાડવી એ લોકોનો અંગત વિષય છે..વધુમાં પાટીલે કહ્યું કે હનુમાન ચાલીસા મામલે કોંગ્રેસ પ્રમુખ સલાહ આપી શકે છે ફરજ ન પાડી શકે
ભાઈ તું તારા ઘર માં હનુમાન ચાલીસા વગાડને, કોણ ના પાડે છેઃ જગદીશ ઠાકોર
ગઇ કાલે જગદીશ ઠાકોરે અમદાવાદમાં કોંગ્રેસનુ ઓબીસી સંમેલન કહ્યું હતું કે સ એક તરફ અજાન બીજી તરફ ઝાલર વગાડાતી જ હતી. હવે અજાન સામે હનુમાન ચાલીસા વગાડવાનું કહે છે. ભાઈ તું તારા ઘર માં હનુમાન ચાલીસા વગાડને, કોણ ના પાડે છે. ચૂંટણી આવી રહી છે ત્યારે તોફાનો અને કોમી થશે. હનુમાન ચાલીસા વગાડવા માટે આપણા દીકરાઓને મોકલશે. મંત્રીઓના દીકરાઓ તો વિદેશમાં ભણવા ગયા છે. વસ્તી પ્રમાણે સરકારી નોકરીમાં ભાગીદારી લાવવા કોંગ્રેસ માંગે છે
ભરતસિંહ સોલંકીને વોર્નિંગ આપુ છું સાનમાં સમજી જાય જનતા જવાબ આપશે-પાટીલ
સી આર પાટીલે ભરતસિંહ સોલંકીએ રામ મંદિર પર કરેલા નિવેદનનો જવાબ આપ્યો હતો.અને કહ્યું કે, ભરતસિંહ સોલંકીને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈ ચેકઅપ કરાવાની જરૂર છે વારંવાર હિંદુઓની લાગણી દુભાવી રહ્યા છે. ભરતસિંહમાં તાકાત હોય તો અન્ય ધર્મની સામે પણ બોલે માત્ર હિંદુઓનું અપમાન ન કરે, અન્ય ધર્મના લોકો જે એમના આજુબાજુ ફરે છે એમના વિશે બોલો તો ખબર પડશે. વધુમાં પાટીલે કહ્યું કે, ભરતસિંહ સોલંકીને વોર્નિંગ આપુ છું શાનમાં સમજી જાઓ બાકી હિંદુઓ તમને આ વાતનો જવાબ આપશે.
રામ મંદિર મુદ્દે ભરતસિંહ સોલંકીએ ભાજપ પર કટાક્ષ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મંગળવારે અમદાવાદમાં કોંગ્રેસનું OBC સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રામ મંદિર મામલે ભાજપ પર કટાક્ષ કર્યો હતો અને તેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે. ભરતસિંહે કહ્યું કે, રામ મંદિરના નામે રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે..સરકારે કરોડો આપ્યા હોવા છતા પ્રજા પાસે પૈસાનું ઉઘરાણું કરાયું છે..રામને છેતરવાળા લોકો સામાન્ય પ્રજાને છેતરી રહ્યા છે.જો કે વિવાદ થતાં ભરતસિંહે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.ભરતસિંહે કહ્યું કે, મારો વિરોધ રામનો નથી પણ રામના નામે રાજનીતિ કરતા લોકોનો છે.મારો ઉદ્દેશ રામનો ઉપયોગ કરનારા લોકોને ઉધાડા પાડવાનો છે...ભાજપે રામશીલા ફેરવીને લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. તે પૈસાનો આજદિન સુધી હિસાબ નથી આપ્યો.