ગુજરાત વિધાનસભા ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યા છે. આ વખતે ગુજરાતમાં ત્રિ પાંખિયા જંગ ખેલાશે જેમાં ભાજપ, કોંગ્રેસ અને AAP જનતા સમક્ષ જશે. ત્યારે દિલ્હી સીએમ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસ પર છે. છોટુ વસાવાની પાર્ટી અને AAPના ગઠબંધનની મોટી સભા યોજી એલાન થયું છે. આમદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ભાજપ પર આકરાં પ્રહાર કરતાં મોટું નિવેદન આપ્યું છે કે, આ વખતે AAP-BTPની સરકાર બનશે. તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને સમય ન મળે તે માટે ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવવાની તૈયારી છે, પણ અમારી પાસે જનતાનો પ્રેમ છે. તમે ગુજરાતમાં આજે ચૂંટણી કરાવી લો, તમારા પત્તાં સાફ છે તેવા શાબ્દિક પ્રહાર ભાજપ પર કર્યા છે
કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છેઃ પાટીલ
ત્યારે ભાજપ તરફથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વળતો જવાબ આપ્યો છે. અને કેજરીવાલને ખાલિસ્તાની સમર્થન ગણાવતા ટ્વીટ કર્યું છે કે કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, કેજરીવાલ ખાલિસ્તાનની માંગણી કરવાને અધિકાર માને છે. સાથે આપ પાર્ટી પર પલટવાર કરતાં કહ્યું કે ખાલિસ્તાન સમર્થકોને કેજરીવાલ પોતાની પાર્ટીમાં જવાબદારી આપે છે.
ટ્વીટ કરીને શું કહ્યું સી આર પાટીલે?
ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલીસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા @ArvindKejriwal આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.
મને ગંદી પોલિટિક્સ કરવાનું નથી આવડતું: કેજરીવાલ
તો બીજી તરફ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમારી આ પ્રથમ પબ્લિક રેલી છે. ગુજરાતનો લોકો ઈમોસનલ હોય છે. હું ગુજરાતના સાડા છ કરોડ લોકો સાથે છું, મને ગંદી પોલિટિક્સ કરવાનું નથી આવડતું , મને તો માત્ર કામ કરતા આવડે છે. કેજરીવાલ હંમેશા દીલથી કામ કરે છે. પહેલા દિલ્લીમાં પણ હોસ્પિટલો ખરાબ હતી પરંતુ અમારી સરકાર આવ્યા પછી તેને દુરુસ્ત કરવામાં આવી છે. અમે દિલ્લીમાં મોહલ્લા ક્લીનીક ખોલ્યા છે.
હું પૈસા ખાતો નથી હું પૈસા ખાવા દેતો નથી: કેજરીવાલ
આ વખતે ગુજરાતમાં AAP-BTPની સરકાર બનશે. જેમ દિલ્લીમાં ફ્રી મા વીજળી મળી રહી છે તેમ અમારી સરકાર આવશે તો અહીંયા પણ ફ્રીમાં વીજળી મળશે. હું ઈમાનદાર છુ એટલે બધુ ફ્રી કરી રહ્યો છું. તેમણે જણાવ્યું હતું કે, હું પૈસા ખાતો નથી હું પૈસા ખાવા દેતો નથી.દિલ્હીમાં છેલ્લા 5 વર્ષમાં 12 લાખ નોકરીઓ આપી છે. તેમણે જણાવ્યું કે, હું કટ્ટર ઈમાનદાર છું, કેન્દ્ર સરકારે મારી ઓફિસ-ઘરમાં રેડ કરાવી પણ એમને કંઈ ના મળ્યું, એટલે તો હું આજે અહિયાં ઊભો છું. કેજરીવાલે ગુજરાતમાં વધુમાં વધુ લોકો AAPમાં જોડાય તેવી અપીલ કરી