રાજ્યમાં ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી, સી.આર.પાટીલે પાઠવી શુભેચ્છા
પતંગોઉત્સવના કારણે અનેક લોકોને રોજગારી મળી: પાટીલ
ભાજપ લોકસભાની તમામ 26 બેઠકો પર જીતનો સિલસિલો યથાવત રાખશે: પાટીલ
ગુજરાતભરમાં આજે મકરસંક્રાતિ ( ઉત્તરાયણ ) ની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. ચારે તરફ પતંગરસિયાઓ સવારથી જ પતંગ ચગાવવા સહપરિવાર સાથે ધાબે ચડી ગયા છે. આ તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે રાજ્યની પ્રજાને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે કહ્યું કે, લોકસભાની ચૂંટણી મામલે નિવેદન આપતા કહ્યું કે, ભાજપ લોકસભાની તમામ 26 બેઠકો પર જીતનો સિલસિલો યથાવત રાખશે.
ગુજરાતમાં ઉત્તરાયણ ( મકરસંક્રાતિ ) ના તહેવારને લઈ ચારે તરફ પતંગરસિયાઓ સવારથી જ પતંગ ચગાવવા સહપરિવાર સાથે ધાબે ચડી ગયા છે. એમાંય વળી હવામાન વિભાગે 15થી 20 કિ.મી પ્રતિ કલાકની પવનની ગતિની આગાહી કરી છે. ત્યારે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી સાથે ઉંધિયા માર્કેટમાં પણ લોકોનો વહેલી સવારથી ધસારો જોવા મળ્યો છે.
લોકસભાની તમામ 26 બેઠકો પર જીતનો સિલસિલો યથાવત
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીકે રાજ્યની પ્રજાને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી છે. આ સાથે લોકસભાની ચૂંટણી મામલે સી.આર પાટીલે નિવેદન આપતા કહ્યું હતું કે, હવે ઉત્તરાયણ પર કમુરતા પૂર્ણ થઈને શુભમુર્હૂતો શરૂ થશે. આ સાથે કહ્યું કે, ભાજપ લોકસભાની તમામ 26 બેઠકો પર જીતનો સિલસિલો યથાવત રાખશે.
પતંગોઉત્સવના કારણે અનેક લોકોને મળી રોજગારી: પાટીલ
ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, પતંગોઉત્સવના કારણે અનેક લોકોને રોજીરોટી મળે છે. આ સાથે ઉમેર્યું કે, પતંગ બનાવવાની અનેક ઇન્ડસ્ટ્રિઝ બની ગઈ છે. જેને લઈ ઉત્તરાયણ પર્વ પર લોકોને રોજગારી પણ મળે છે. મહત્વનું છે કે, પ્રદેશ પ્રમુક પાટીલે રાજ્યની જનતાને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્તરાયણની કરી ઉજવણી
સમગ્ર રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અમદાવાદની પોળમાં પતંગ ચગાવીને CMએ ઉત્તરાયણની ઉજવણી કરી. શહેરના દરિયાપુર વિસ્તારમાં નવા તળીયાની પોળમાં ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ મનાવી. CMએ પતંગ ચગાવીને સ્થાનિકોનો પણ ઉત્સાહ વધાર્યો હતો.
આજે રાત્રે સૂર્ય પ્રવેશ કરશે મકર રાશિમાં
આજે રાત્રે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ તહેવાર બીજા દિવસે સૂર્યોદય સાથે ઉજવવામાં આવશે. તમને જણાવી દઇએ કે, ઉત્તરાયણના દિવસે ગંગા સ્નાનનું પણ અનેરું મહત્વ છે. ગંગામાં સ્નાન કર્યા પછી દાન-પુણ્ય કરવાની અનોખી પરંપરા છે.