તિસ્તા સેતલવાડના NGO મારફતે નાણાં મેળવી કાવતરામાં ઉપયોગ કરાયા, શ્રીકુમાર,તીસ્તા સેતલવાડને કાવતરા ઘડવાનુ ફળ મળી રહ્યુ છે, સંજીવ ભટ્ટની શંકાસ્પદ ભૂમિકા
તિસ્તા સેતલવાડની ધરપકડ પર પાટીલની પ્રતિક્રિયા
"PM મોદી વિરૂદ્ધ કાવતરૂ ઘડાયુ હતુ"
"તીસ્તા સેતલવાડને કાવતરાનુ ફળ મળી રહ્યુ છે"
2002ના તોફાનો મામલે PM નરેન્દ્ર મોદીને SIT દ્વારા જે ક્લીન ચિટ આપવામાં આવી હતી તેને સુપ્રીમકોર્ટે પણ માન્ય રાખી છે અને ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી છે. હવે આ મામલે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની ગુજરાત ATSએ મુંબઈથી ધરપકડ કરી લીધી છે.
તિસ્તા સેતલવાડના NGO મારફતે નાણાં મેળવી કાવતરામાં ઉપયોગ થયો: સી આર પાટીલ
આ બાબતે સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે,સુપ્રીમકોર્ટના ચુકાદાથી દૂધનુ દૂધ અને પાણીનુ પાણી થઈ ગયુ છે. સુપ્રીમકોર્ટે કહ્યુ હતુ કે, જે વ્યક્તિઓએ કાવતરૂં રચ્યુ હતુ તેની વિરૂદ્ધ પણ પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. જેથી આર.બી.શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી છે. તેમણેવધુમાં કહ્યું કે સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમારની પણ શંકાસ્પદ ભૂમિકા છે.તિસ્તા સેતલવાડના NGO મારફતે નાણાં મેળવી કાવતરામાં ઉપયોગ કરવામાં આવ્યા છે. કાવતરાના સૂત્રોધારોની ધરપકડ કરવામાં આવી છે કારણ કે નિર્દોષ વ્યક્તિઓને ફસાવી દેવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું.
જેથી જ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ તેઓની ધરપકડ કરી છે.
આ કોઇ બદલાની રાજનીતિ નથી: સી આર પાટીલ
વધુમાં સી આર પાટીલે ચોખવટ કરતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે 3 આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો હત. SCના આદેશ મુજબ કાર્યવાહી થઇ રહી છે. આ કોઇ બદલાની રાજનીતિ નથી. સુપ્રીમ કોર્ટનું 300 પેજનું જજમેન્ટ છે. PM મોદીને માત્ર બદનામ કરવાની નહી પણ ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર હતું. જે બહાર આવ્યું છે તેના અનુરૂપ કાર્યવાહી કરવામાં આવી છે.
તિસ્તા સેતલવાડ સામે આરોપ શુ ?
વિદેશથી આવેલા ફંડિગમાં ફ્રોડ કર્યાનો છે આરોપ
વિદેશી ફંડિગ મામલે ગુજરાત પોલીસ,CBIએ તપાસ હાથ ધરી હતી
વર્ષ 2013માં તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી
ગુલબર્ગ સોસાયટીના 12 રહિશોએ તિસ્તા વિરૂદ્ધ કરી હતી ફરિયાદ
મ્યુઝિયમ બનાવવા જે ફંડિગ ભેગુ કર્યુ તેનો દૂરૂપયોગ કર્યાનો આરોપ
સ્થાનિકોના આરોપ મુજબ વિદેશી ફંડિંગ તેમના સુધી નહોતુ પહોંચ્યુ
જાન્યુઆરી 2014માં તિસ્તા સેતલવાડ સહિત 5 વ્યક્તિઓ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં થઈ FIR
વિદેશી ફંડિંગના નાણાથી પોતાના ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યાનો પોલીસનો આરોપ
ક્રેડિટ કાર્ડથી તિસ્તાએ ઘરેણાં અને દારૂની ખરીદી કર્યાનો આરોપ
સુપ્રીમ કોર્ટ અરજી ફગાવી
આપને જણાવી દઈએ કે 2002ના ગુજરાત રમખાણ કેસમાં ગુલબર્ગ સોસાયટીના મામલે અહસાન જાફરીની મોત થયું હતું. તેમણી પત્ની SITની તપાસ સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. પણ તે તપાસને સાચી ઠેરવતા ગઈકાલે શુક્રવારે જ સુપ્રીમ કોર્ટ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે જે લોકો કાયદા સાથે રમત રમે છે તેમની સામે કાર્યવાહી કરવી જરુંરી બને છે. આ અગાઉ ગુજરાત સરકારે પણ કોર્ટમાં કહ્યું હતું કે એનજીઓની ૨૦૦૭માં જે આર્થિક સ્થિતિ હતી તેની તુલનાએ ગુલબર્ગ સોસાયટીના મ્યુઝિયમ બનાવવાની પ્રપોઝલ બાદ તે ઘણી ધનવાન બની હતી.
વિદેશમાંથી ઉઘરાવેલા નાણા તીસ્તાએ અંગત કાર્ય માટે વાપર્યા હોવાનો આરોપ પણ લાગી ચૂક્યો છે.
તીસ્તા માટે વિવાદોમાં રહેવાના અનેક બનાવો સામે આવ્યા છે. તીસ્તાની સંસ્થા `સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ' ગુજરાતના રમખાણ પીડિત મુસ્લિમોની મદદનું કાર્ય કરતી હતી. જો કે રમખાણ પીડિતોએ જે તે સમયે તીસ્તા સામે એવી ફરિયાદ કરી હતી કે પીડિતોની મદદના નામે દેશ વિદેશમાંથી ઉઘરાવેલા નાણા તીસ્તાએ અંગત કાર્ય માટે વાપર્યા. 2019માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પણ એવું સામે આવ્યું હતું કે તીસ્તા તેના પતિ જાવેદ અને અન્ય ત્રણ લોકોએ રૂ. 1 કરોડ 51 લાખની છેતરપિંડી કરી હતી
પૂર્વ IPS અધિકારી આરબી શ્રીકુમારની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ IPS અધિકારી આરબી શ્રીકુમારની પણ ધરપકડ કરી છે. ગુજરાત રમખાણ કેસ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટએ કહ્યું હતું કે રમખાણ મુદ્દે મુખ્યમંત્રીની મિટિંગમાં સહભાગી થવાનો દાવો કરનારું નિવેદન રાજનૈતિક રૂપથી સનસની ઊભી કરનારું હતું. આપને એ પણ જણાવી દઈએ કે સંજીવ ભટ્ટ હિરેન પંડયા અને આરબી શ્રીકુમારે SITના સામે જે જવાબ રજૂ કર્યા હતા તે નિરાધાર અને ખોટા સાબિત તહત્યા છે કારણ કે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ લોકો લો એન્ડ ઓર્ડરની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં ઉપસ્થિત પણ ન હતા
સુપ્રીમકોર્ટે શું કહ્યું?
સુપ્રીમકોર્ટે જાકીયા ઝાફરીની અરજી રદ કરી
અરજી દાખલ કરવા પાછળ હેતુ ખોટો છે
કોર્ટની પ્રક્રિયાનો દૂરૂપયોગ કરનાર સામે કાર્યવાહીની જરૂર છે
જાકિયા ઝાફરીની અરજી બીજાના નિર્દેશોથી પ્રેરિત છે
જાકિયા ઝાફરીએ અદાલતના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા
બીજાના ઈશારે જાકિયા ઝાફરીએ સવાલો ઉઠાવ્યા
અરજીની સામગ્રીમાં સત્ય નથી
અરજીમાં SITની સત્યનિષ્ઠા અને ઈમાનદારીનુ ઓછુ આંકલન કરાયુ
કોર્ટની કાર્યવાહીને ખોટી રીતે ઉપયોગ કરનાર લોકોને કોર્ટમાં રજૂ કરવા જોઈયે
કોર્ટની કાર્યવાહીનો દૂરૂપયોગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે
મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડનો ઉપયોગ કરવામાં આવ્યો: ગૃહમંત્રી અમિત શાહ
2002 ગુજરાત રમખાણો પર ગૃહમંત્રી અમિત શાહના ખુલાસા આપતાં જણાવ્યું છે કે ,તે સમયે એવી વાતો ફેલાવવામાં આવી કે ફાયરિંગ માત્ર મુસ્લિમો માર્યા ગયા, પણ હવે કોર્ટે સ્વીકાર્યું છે કે આવું નથી થયું તમણે વધુમાં ઉમેર્યુ હતું કે, લોકોને ટ્રેનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા પણ તે સમયે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈએ ઘટનાની ટીકા પણ ન કરી તેમણે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડને કેન્દ્ર સરકારે મદદ કરી હતી