સુરતના વ્યારા ખાતેના એક કાર્યક્રમમાં સી.આર.પાટીલે તાપી પાર નર્મદા લિંક મુદ્દે આદિવાસીઓને સાંત્વના આપી હતી કે, 'અધિકારીઓ કોઈ જગ્યાએ કનડગત કરે તો કહેજો.'
સી. આર. પાટીલના હુંકાર સામે કોંગ્રેસ ગભરાઇ : જીતુ ચૌધરી
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે તાપીની મુલાકાતે છે. ત્યારે વ્યારા ખાતે એક કાર્યક્રમમાં સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું છે. સી.આર પાટીલે હુંકાર કરતા જણાવ્યું કે, 'કોંગ્રેસના નેતાઓ સાંભળી લે વ્યારાની બેઠક ભાજપ જીતશે. ગુજરાતના લોકોએ કોંગ્રેસને ગુજરાતમાં ઘૂસવા દીધી નથી. વ્યારા સુગર ફેકટરી માટે બધાએ રજૂઆત કરી છે. ત્યારે 30 કરોડ મુખ્યમંત્રી અને નાણાંમંત્રીને વિનંતી કરીને મંજૂર કરાવ્યા છે.'
તાપી પાર નર્મદા લિંક મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, 'કોંગ્રેસ આદિવાસી ભાઈ બહેનોને ઉશ્કેરે છે. આ યોજનાની સાઈન થઈ ત્યારે વડાપ્રધાન મનમોહનસિંહ હતાં. રાજ્યના મુખ્યમંત્રી સંમતિ આપે તો યોજના અમલમાં આવે. ત્યારે મુખ્યમંત્રીએ આ યોજનાની સંમતિ ન હોતી આપી. પરંતુ અમિત શાહ સાહેબે નિર્ણય કર્યો છે. આ યોજનાને અમે સ્થગિત કરી દઈએ છીએ.
અધિકારીઓ કોઈ જગ્યાએ કનડગત કરતા હોય તો જાણ કરજો. ચૂંટાયેલા પ્રતિનિધિનો સંપર્ક કરજો, કોઇ તમારો અધિકાર છીનવી શકે નહીં.'
હું પણ ભાગીને ભાજપમાં આવી ગયો : જીતુ ચૌધરી
તો બીજી બાજુ નવસારીનાં સુરખાઈ ખાતે પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરીએ પણ મોટું નિવેદન આપ્યું છે. જીતુ ચૌધરીએ જણાવ્યું કે, સી. આર. પાટીલના હુંકાર સામે કોંગ્રેસ ગભરાઇ છે. વિધાનસભાની 182 બેઠકો જીતવાના હુંકાર સામે કોંગ્રેસ ગભરાઈ ગઇ છે. બધામાં ગભરાટને કારણે મારો પણ ગભરાટ છૂટી ગયો છે. જેથી હું પણ ભાગીને ભાજપમાં આવી ગયો. કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલમાં પણ ગભરાટ છે.